Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • India
  • August 6, 2025
  • 0 Comments

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો. આ તેને ચૌદમી વાર આ રીતે મુક્ત કરવામાં આવ્યો. જે દર વખતે ચર્ચાનો વિષય બને છે. રામ રહીમને બળાત્કાર અને હત્યાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમના વારંવારના પેરોલ પર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આવા જઘન્ય ગુનેગાર વારંવાર કોના સહારે છૂટીને બહાર આવે છે.

જેલ બહાર આવ્યા બાદ ભક્તોને દૂર રહેવા અપીલ

પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમ હરિયાણામાં આવેલા ડેરા સચ્ચા સૌદા સિરસાના મુખ્યાલય ગયા. વહેલી સવારે જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમને ભારે સુરક્ષા હેઠળ સિરસા લઈ જવામાં આવ્યો. તેમની મુક્તિ અંગે ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓમાં ઉત્સાહ હતો. સિરસા ડેરા તેમના માટે એક મહત્વપૂર્ણ સ્થળ રહ્યું છે, જ્યાં તેઓ તેમના અનુયાયીઓને મળે છે. સિરસા ડેરા પહોંચ્યા પછી, તેણે તેમના સમર્થકો માટે એક ખાસ સંદેશ જારી કર્યો.

રામ રહીમે કહ્યું, “હું બધાને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરું છું. ડેરા તરફથી મળેલા સંદેશ મુજબ આપણે સેવા કરવી પડશે. તમે હંમેશા અમારી વાત સાંભળો છો, તેના માટે આભાર. દરેકે પોતપોતાના સ્થાને રહેવું પડશે. તમારા બધાને મારા આશીર્વાદ.”

ઉલ્લખનયી છે કે ગીરમીતને જન્મદિન ઉજવવા પેરોલ મળ્યા છે. તે તેનો જન્મદિન 15 ઓગસ્ટે ઉજવશે. આઠ વર્ષ પછી, રામ રહીમ ડેરા સચ્ચા સૌદા સિરસામાં પોતાનો જન્મદિવસ ઉજવશે.  હાલ કારણ સ્પષ્ટ નથી કે પેરોલ કયા આધારે આપવામાં આવ્યા પણ જો જન્મદિન ઉજવણીના આધારે આપ્યો હોય તો બળત્કારી અને હત્યારાને આ રીતે જન્મદિવસ ઉજવવા છૂટો કરવામાં આવે તે કેટલું યોગ્ય તે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે. જન્મદિન એક જ દિવસ હોય  તે 40 દિવસ બહાર રહેવા આવ્યો છે.

રામ રહીમના અનુયાયીઓ તેમની મુક્તિથી ખુશ છે, પરંતુ ઘણા લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના પેરોલ પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને કાયદાનો દુરુપયોગ માને છે, જ્યારે ડેરા સમર્થકો તેને તેમના ગુરુની વાપસી તરીકે જુએ છે. આ પેરોલ 40 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન રામ રહીમ સિરસામાં રહેશે.

પેરોલ અને રજા ક્યારે મળી?

ગુરમીત રામ રહીમને ઓક્ટોબર 2020 થી ઓગસ્ટ 2025 સુધી ઘણી વખત કામચલાઉ મુક્તિ મળી છે.

ઓક્ટોબર 2020: તબીબી તપાસ માટે 1 દિવસનો પેરોલ
મે 2021: બીમાર માતાને મળવા માટે 12 કલાકની પેરોલ
ફેબ્રુઆરી 2022: ગુરુગ્રામમાં પરિવારને મળવા માટે 21 દિવસની રજા
જૂન 2022: હરિયાણા મ્યુનિસિપલ ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
ઓક્ટોબર 2020: હરિયાણા પંચાયત ચૂંટણી અને આદમપુર પેટાચૂંટણી પહેલા 40 દિવસની પેરોલ
જાન્યુઆરી 2023: 40 દિવસની પેરોલ
જુલાઈ 2023: હરિયાણા પંચાયત ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
નવેમ્બર 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા 29 દિવસની પેરોલ
જાન્યુઆરી 2024: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
એપ્રિલ 2024: 31 દિવસની રજા
ઓગસ્ટ 2024: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદા પછી 21 દિવસની રજા
જાન્યુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા 30 દિવસની પેરોલ
એપ્રિલ 2025: ડેરા સચ્ચા સૌદાના સ્થાપના મહિના દરમિયાન 21 દિવસની રજા
ઓગસ્ટ 2025: 40 દિવસના પેરોલ, સિરસા કેમ્પ પહોંચ્યો

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!