Aniruddhasinh Jadeja ફરી જેલ ભેગા થશે? બે – બે કેસમાં બરાબરના ભરાયા, જાણો સમગ્ર મામલો

Aniruddhasinh Jadeja: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ કાનૂની ડબલ મુશ્કેલીમાં ફસાયા છે. ગુજરાત હાઈકોર્ટે 1988ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને એક મહિનામાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે, જ્યારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બંને પિતા-પુત્ર પોલીસની શોધમાં છે. આ બંને કેસે રીબડા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.

પોપટ સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ

1988માં ગોંડલની સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ તેમને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં, અનિરુદ્ધસિંહના પુત્રની અરજી પર જેલ આઈજી ટી.એસ. બિસ્તે 18 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમને માફી આપી મુક્ત કર્યા હતા. જોકે, મૃતકના પૌત્ર હરેશ સોરઠિયાએ આ માફી રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી. ગુજરાત હાઈકોર્ટે આ માફીને રદ કરી, અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા, દરરોજ હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે.

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જામીન અરજી નામંજૂર

બીજી તરફ, રાજકોટના રીબડા ગામમાં 5 મે 2025ના રોજ અમિત ખૂંટ નામના 32 વર્ષીય યુવકે લોધીકા રોડ પર પોતાની વાડી નજીક ઝાડ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અમિતના ખિસ્સામાંથી મળેલી ચાર પાનાની સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સહિત બે યુવતીઓ પર તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી, માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ લગાવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ બંને સામે ગુનો નોંધ્યો છે, પરંતુ બંને ફરાર છે. ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી છે, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે.

અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને પકડવા માટે છ ટીમો બનાવી 

અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં બંને આરોપીઓની ધરપકડ ન થતાં પાટીદાર સમાજ અને અમિતના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારે આરોપીઓ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસની ખાતરી બાદ તેઓએ મૃતદેહ સ્વીકાર્યો. ગોંડલ પોલીસે બે યુવતીઓની પૂછપરછ શરૂ કરી છે અને અનિરુદ્ધસિંહ તેમજ રાજદીપસિંહને પકડવા માટે છ ટીમો બનાવી છે.

રીબડામાં વધતા વિવાદો

આ ઉપરાંત, રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગનો કેસ પણ ચર્ચામાં છે. આ ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી હતી, જે ગુજરાત બહારથી વીડિયો વાયરલ કરી ગાયબ થયો છે. પોલીસે તેને ઝડપવા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટીમો મોકલી છે. આ ઘટનાએ રીબડામાં રાજકીય અને સામાજિક તણાવ વધાર્યો છે.

આ બંને કેસે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને કાનૂની અને સામાજિક રીતે ભારે મુશ્કેલીમાં મૂક્યા છે, જેના પરિણામે રીબડા ગામ હાલ વિવાદોનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો:

Gujarat: દાહોદમાં ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું

Ahmedabad Bomb Blast Case: સુપ્રીમ કોર્ટનો 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી પર સ્ટે, જાણો વધુ

Sardar Samman Yatra: બારડોલીથી સોમનાથ સુધીની 1800 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’ નિકળશે, જાણો શું છે તેનો ઉદેશ્ય?

 

 

Related Posts

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
  • May 8, 2026

Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

Continue reading
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
  • May 8, 2026

Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે