Ahmedabad: ભૂપેન્દ્ર પટેલ સત્તા બચાવવા માગતા હોય તો લોકોના ઘર ફરીથી બનાવી દે: ઈસુદાન ગઢવી

  • Gujarat
  • January 27, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદમાં હાલ અનેક સ્થળો પર લોકોને બેઘર કરી તંત્ર દબાણો હટાવી રહ્યું છે. ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનો તાનાશાહી ઢબે તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે પહેલા ગાય છોડાવી હવે ઘર છીનવી લીધા. અમારી પાસે ટેક્સ પણ વસૂલાયો છે. જો વસાહત ગેરકાયદેસર હોત તો ટેક્સ કેવી રીતે વસૂલ્યો તેવા સવાલ કર્યા છે. રબારી સમાજનો આક્ષેપ છે કે પહેલા શહેરમાં ગાયો ન રાખી શકો તેમ કહી ગાયો કઢાવી હવે, તે જગ્યા પર અમે ઘરો બનાવ્યા હતા. હવે આ જગ્યા પર બનાવેલા ઘરો તોડી પાડવામાં આવ્યા.   જેથી તાનાશાહી તંત્ર સામે રબારી સમાજે ફિટકાર વરસાવી છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં કરી છે. તેમનો આક્ષેપ છે કે અમારા દબાણો તોડી અહીં બગીચો બનાવવા માગે છે.

 

બેઘર બનેલા રબારી સામજના લોકોની AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મુલાકાત લીધી છે. ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીની આવેલી છે. જ્યા રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અહીં મુલાકાત લઈ ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાના મકાનોને હિટલરશાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે. સરકાર, કોર્પોરેશન અને નેતાઓની મિલીભગતના કારણે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે. આ મુદ્દે તમામ લોકો પર ફરિયાદ થઈ શકે છે.

 

 

માલધારીઓના ઘર પાછા નહીં બને તો ભાજપના નેતાઓના ગેરકાયદેસરના મકાનો તોડીશું

વધુમાં ઈસુદાન ગઢવીએ કહ્યું આ મુદ્દા પર થોડા સમય બાદ ફેસબૂક પર 5000 માલધારીઓ લાઈવ થઈશું. વિજય રૂપાણીએ ગુજરાત છોડવું પડ્યું તેમ ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાત છોડવું પડશે. ઈસુદાન ગઢવીએ કહ્યું 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવીશું. ભૂપેન્દ્ર પટેલ તેમની સત્તા બચાવવા માગતા હોય તો આ તમામ લોકોના ઘર ફરીથી બનાવી દે. કેટલાય ભાજપના નેતાઓએ ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે, તો માલધારીઓના મકાન ફરીથી નહીં બનાવવામાં આવે તો ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો તોડીશું.

 

આ પણ જુઓઃ

આ પણ વાંચોઃ Surendranagar: નસબંધીના ઓપરેશન સમયે થયેલા મહિલાના મોત મામલે તપાસના આદેશ

  • Related Posts

    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
    • April 30, 2025

    Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

    Continue reading
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
    • April 30, 2025

    Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    • April 30, 2025
    • 3 views
    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 11 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 23 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    • April 30, 2025
    • 26 views
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    • April 30, 2025
    • 27 views
    નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

    • April 30, 2025
    • 33 views
    Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર