મેક્સિકોમાં ભયંકર રોડ અકસ્માત; 41 લોકો જીવતા ભૂંજાઈ ગયા

  • India
  • February 9, 2025
  • 0 Comments
  • મેક્સિકોમાં ભયંકર રોડ અકસ્માત; 41 લોકો જીવતા ભૂંજાઈ ગયા

રોડ અકસ્માત: મેક્સિકોમાં એક રોડ અકસ્માતમાં એક સાથે 41 લોકો જીવતા આગમાં ભૂંજાઈ ગયા છે. દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે. હવે મેક્સિકોના ટાબાસ્કો રાજ્યની સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 38 મુસાફરોને લઈને જઈ રહેલી બસની એક ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી.

બસ કેનકનથી ટાબાસ્કો આવી રહી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 38 મુસાફરો અને બે ડ્રાઈવરોના મોત થઈ ગયા છે. આ સાથે જ ટ્રકના ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું છે. આ ભયાનક માર્ગ અકસ્માત બાદ બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને આગમાં 41 લોકો જીવતા ભૂંજાયા છે.

આ અકસ્માત શનિવારે સવારે એસ્કાર્સેગા શહેર નજીક સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘાયલ મુસાફરોના જીવ ખતરામાંથી બહાર છે.


આ પણ વાંચો- મેઘા ઓપરેશન; સેનાએ 31 નક્સલવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ; બે જવાન શહીદ

આગ ઓલવાઈ ગયા બાદ માત્ર બસના ફ્રેમના અવશેષો જ બચ્યા હતા.ટાબાસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માતગ્રસ્ત બસમાંથી પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે ‘જે બન્યું તેના માટે અમે ખૂબ જ દુ:ખી છીએ.’

આ સાથે જ ટુર્સ એકોસ્ટાએ એમ પણ કહ્યું કે, ‘અમે અધિકારીઓ સાથે મળીને એ જાણવા માટે કામ કરી રહ્યા છીએ કે, અકસ્માત પાછળના કારણો શું હતા અને અકસ્માત થયો ત્યારે બસની ગતિ કેટલી હતી? અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’

બસ ઓપરેટર એકોસ્ટાએ આગળ જણાવ્યું કે, ‘અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવશે. અમે મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કંપની શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.’

આ પણ વાંચો- શું આગામી દિવસોમાં બીજું એક મોટું કૌભાંડ દેશને હચમચાવી નાખશે?, જુઓ ખાસ ચર્ચા

Related Posts

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી
  • September 19, 2026

Justice Ujjal Bhuyan: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંએ પોલીસ કસ્ટડીમાં હિંસા, કસ્ટડી દરમિયાન આરોપીઓના મોત અને કથિત બિનન્યાયિક હત્યાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે…

Continue reading
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?
  • September 19, 2026

Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં આ ભારતીય જનતા પાર્ટીના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 2 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 6 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 5 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 9 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 10 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 8 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી