
હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ગૂંગળામણથી એક યુવાનનું મોત થયું છે. બોઈલર સાફ કરતી વખતે આ યુવાનનું મોત થયું હોવાની જાણકરી મળી છે. જ્યારે બે લોકોને 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા છે. ઘટના બનતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા છે. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી વિગતો અનુસાર, હિંમતનગર પાસે આવેલી સાબર ડેરીમાં આજે શ્રમિકો બોઇલર સાફ કરી રહ્યા હતાં. ત્યારે ગૂંગળામણ થતાં કિરપાલસિંહ ગુલાબસિંહ ઝાલા (ઉં.વ.24, રહે.સચોદર) નામના શ્રમિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.









