
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તેવામાં રાજકીય પક્ષોઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ ‘AAP’ અને કોંગ્રેસ ગઠબંધન અંગે ખુલાસો કર્યો છે. માંગરોળમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે. સ્થાનિક લેવલ પર ગઠબંધનથી ચૂંટણી લડશે. સૌરાષ્ટ્રમાં પણ સ્થાનિક ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધનથી ચૂંટણી લડશે.
ઈસુદાન ગઢવીએ કહ્યુ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. ગુજરાતમાં શક્ય ત્યાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.