Ahmedabad: શાકભાજી વેચતાં લોકોના 46 દિવસથી ધરણા,  રોજગાર બચાવવા માટે સરકારને હાથ કેમ જોડવા પડ્યા?

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Ahmedabad Vegetable Vendors Protest: અમદાવાદના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 300 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર બચાવવા માટે સરકાર સહિત વહીવટી તંત્રને હાથ જોડી રહ્યા છે, પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. આ ધરણા પાછળનું કારણ એ છે કે, જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની લારીઓ દબાણ શાખાની ટીમે  હટાવી દીધી છે, અને ત્યાર બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી.  તેથી આ ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે.

300થી વધુ શાકભાજી વેચતાં લોકોને હાલાકી 

અમદાવાદના જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ હટાવી દીધી છે, અને ત્યારબાદ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. જોકે, આ શાકભાજીના ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં મસમોટુ ભાડુ વસૂલાતું હોવાથી તેમને પરવડે તેમ નથી, અને ત્યાં કોઈ ગ્રાહક શાકભાજી ખરીદવા આવે એમ નથી.જેથી નજીકના વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવાની માગ કરાઈ છે. તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર અમને જગ્યા ફાળવવામાં આવી છે. 300થી વધુ લારી ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં

આ શાકભાજીના ધંધાર્થીઓ મુખ્યમંત્રી(CM), ધારાસભ્ય(MLA) અને કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેમની કોઈએ રજૂઆત ન સાંભળી ત્યારે હવે તેમના ધરણાના 46 દિવસ પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) લારીગલ્લના પાથરણાં સંઘને મળવાં જોધપુર પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવીએ શાકભાજીના ધંધાર્થીએને સાંત્વના પાઠવી હતી.

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 2 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 6 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ