
AMC Corruption: ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અધિકારીઓ સત્તા અને પદનો દુર્પયોગ કરી ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ સુરેન્દ્રભાઈ શાહની ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી છે. તેમના પર 2012થી 2022 દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા 3.07 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવવાનો આરોપ છે.
ફોરેન્સિક તપાસમાં ખુલાસો
ACBને મળેલી ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસમાં જીજ્ઞેશ શાહની આવક અને ખર્ચની વિગતો એકત્ર કરવામાં આવી હતી. ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ પોતાના અને પરિવારના સભ્યોના નામે મકાન, જમીન, અને સોનામાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. આ મિલકતોનું કુલ મૂલ્ય 3.07 કરોડ રૂપિયા છે, જે તેમની જાણીતી આવક કરતાં 102 ટકા વધુ છે.
ધરપકડ અને કાર્યવાહી
ગુરુવારે, 19 જૂન 2025ના રોજ ACBએ જીજ્ઞેશ શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી, તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આરોપીએ AMCમાં ચાલતા ભ્રષ્ટાચારના માધ્યમથી આ સંપત્તિ એકઠી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ACBના અધિકારીઓનું માનવું છે કે, વધુ તપાસથી AMCમાં ચાલતા અન્ય કૌભાંડોની વિગતો પણ બહાર આવી શકે છે.
આ ઘટનાએ અમદાવાદમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો AMCમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આવા કેસો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. ACBએ આ કેસમાં વધુ તપાસ ચાલુ રાખી છે, અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો:
Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?
Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?









