
Crane collapses: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 23 માર્ચની રાત્રે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં દુર્ઘટનાં સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આ ક્રેન તૂટી પડતાં ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. મંબઈથી અમદાવાદ તરફ આવતી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. ત્યારે હવે તેને પુનઃ શરુ કરાઈ છે.
ટ્રેન વ્યવહારને અસર
23 માર્ચની રાત્રે વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવેના પાટા અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. જેથી મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી.
વડોદરાથી અમદાવાદ તરફ આવતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવાઈ હતી. આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો. જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. માહિતી મુજબ હાલમાં સમારકામ ચાલી રહ્યું છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા હતો. જ્યારે કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવાઈ હતી.
ત્યારે તૂટી પડેલી ક્રેનને હટાવી પાટાઓનું સમારકામ કરી ટ્રેનની અવર-જવર પનઃ શરુ કરી દેવાઈ છે. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 કામદારોની મદદથી 24 કલાકમાં ધરાશાયી થયેલી ક્રેનને હટાવી લઈ પાટાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. ગત રાત્રી સુધી કામ પૂર્ણ કરી દેવાતાં હવે મુસાફરોની તકલીફ ઓછી થઈ છે.
આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન
આ પણ વાંચોઃ Ahmedabad: માણેકચોકમાં 3 માળનું મકાન જમીનદોસ્ત, બેને ઈજાઓ
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar