Ahmdedabad Plane Crash: વિમાન દુર્ઘટનાથી ચરોતરના 50 પરિવારો પર આભ ફાટ્યું

Ahmdedabad Plane Crash: ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે, ખાસ કરીને ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં આણંદના 33 અને ખેડાના અંદાજે 17 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ચરોતરમાં શોકની લાગણી

આણંદ જિલ્લા પ્રશાસન અને ભાજપે 33 મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેરના લોકો સામેલ હતા. આમાં એક ડૉક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ અને કઠલાલના લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા, જોકે ખેડા પ્રશાસન મોડી સાંજ સુધી ચોક્કસ આંકડા આપી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા પ્રશાંત પટેલ પણ આ વિમાનમાં હતા.

સ્ટુડન્ટ વિઝા પર પ્રથમ વખત યુકે જતા યુવાનનું મોત

આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાં ચૂરેચૂર કરી દીધાં. આણંદના પેટલાદ તાલુકાના ફાંગણી ગામનો યુવાન નિખિલ પટેલ સ્ટુડન્ટ વિઝા પર પ્રથમ વખત યુકે ભણવા જઈ રહ્યો હતો, પરંતુ આ દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું. આણંદના હાલાણી પરિવારના ત્રણ સભ્યો, જેઓ વિઝિટર વિઝા પર યુકેના સગાંને મળવા જઈ રહ્યા હતા, તેમનું પણ અવસાન થયું. તારાપુરનો 22 વર્ષીય પાર્થ શર્મા, જે સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો, તેના પરિવારે તેને એરપોર્ટે મૂક્યો અને ઘરે પરત ફરતી વખતે આ દુખદ સમાચાર મળ્યા.

બોરસદના મંજુલાબેનનાનું મોત

બોરસદના મંજુલાબેન , જેઓ 10 વર્ષ , થી, 20થી વધુ વખત વિઝા રિજેક્ટ થયા બાદ દીકરાને મળવા યુકે જઈ રહ્યા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.

કપડવંજ તાલુકાના વડાલી ગામના દીર્ઘ પટેલનું નિધન

આ દુર્ઘટનામાં કપડવંજ તાલુકાના વડાલી ગામના દીર્ઘ પટેલ, જે લંડનમાં રહેતા હતા, તેમનું હૃદયદ્રાવક મૃત્યુ થયું. દીર્ઘના પિતા પ્રફુલભાઈ પટેલ કપડવંજ આઈટીઆઈમાં ફરજ બજાવે છે. તેમના બે દીકરા લંડનમાં રહે છે, જેમાંથી નાનો દીકરો દીર્ઘ માત્ર 25 દિવસ પહેલાં ઘરે આવ્યો હતો. લંડન પરત ફરતી વખતે આ ભયાનક વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયું. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર ગુજરાતને ઊંડા આઘાતમાં ડુબાડી દીધું છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

  • Related Posts

    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
    • December 14, 2025

    Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

    Continue reading
    Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
    • December 12, 2025

    Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    • December 14, 2025
    • 8 views
    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 12 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    • December 14, 2025
    • 17 views
    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    • December 14, 2025
    • 17 views
    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    • December 14, 2025
    • 31 views
    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 7 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી