
Anand News: જો તમે પણ બહારનું ખાતા હોય તો ચેતજો. ઉનાળો શરુ થતાં જ આણંદ શહેરમાં ફૂડ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. કારણ કે અહીં વારંવાર કેટલીક વાશી ખાવાનું હોટલમાં મળી આવતું હોય છે. ત્યારે આણંદમાં આરોગ્ય વિભાગે ખાવાની ચીજવસ્તુઓ બનાવવામાં ભેળસેળ, સ્વચ્છતાનો અભાવ અને બેદરકારી દાખવાતી રેસ્ટોરન્ટ્સ અને હોટલ સામે કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ફૂડ વિભાગ હાલ 3 રેસ્ટોરન્ટ્સને સીલ કરી હોવાની જાણકારી મળી રહી છે.
કમિશનર મિલિંદ બાપનાના આદેશ બાદ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોટેલો, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આણંદ- વિદ્યાનગર રોડ પરની રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જણાતા સીલ કરી દેવાઈ છે. આણંદ સોજીત્રા રોડ ઉપરની મારૂતિ સોલારીસ ખાતેની વૉક ઓન ફાયર હોટેલને પણ સીલ કરાઈ છે. જીપીએમસીની કલમ 376-એ અંતર્ગત સીલ કરી દેવાઈ છે.
આરોપ લાગ્યો છે કે મનપા તંત્ર મોટી હોટેલોના રસોડા, ખોરાક અંગે તપાસ કરવા જતા નથી અને નાની હોટેલોમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી સંતોષ માની રહી છે.
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી, જેમાં રાજસ્થાની દાલબાટી, તાઝા પીઝા તથા નાઝ રેસ્ટોરન્ટ નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ સીલ કરવામાં આવી. pic.twitter.com/shcbsa0ocn
— Anand Municipal Corporation (@MyAnandMyANMC) March 18, 2025
કઈ કઈ બેદરકારીઓ સામે આવી?
હોટેલ- રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફ-સફાઈ યોગ્ય નહતી
ખોરાક ઢાંકેલો ન હોવાથી તેના ઉપર માખીઓ બેઠેલી જોવા મળી
રસોડામાં ગંદકી તેમજ સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ
આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return
આ પણ વાંચોઃ ચીન AIથી દુનિયાને ચોંકાવી રહ્યું છે ત્યારે ભારત મંદિર-મસ્જિદમાં ફસાયું છે
આ પણ વાંચોઃ અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા