કેજરીવાલ ગુજરાત મુલાકાતે, ખેડૂતોના કપાસને લઈ કેમ છે ચિંતત?, જુઓ | Arvind Kejriwal

  • Gujarat
  • September 7, 2025
  • 0 Comments

Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેમણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર પ્રભુ ફાર્મ ખાતે મીડિયાને સંબોધન કર્યું. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ ચોટીલાની મુલાકાત લેવાના હતા. પરંતુ વરસાદના કારણે મુલાકાત સ્થગિત કરી છે. કેજરીવાલ લાંબા સમયથી કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કપાસના ખેડૂતો માટે ચાર માંગણીઓ રજૂ કરી છે. કેજરીવાલે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવ વિશે પણ વાત કરી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સુરતમાં હીરા કારીગરોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. કેજરીવાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ટ્રમ્પ કાયર છે અને કોઈપણ દેશ જેણે તેમને પડકારવાની હિંમત કરી છે તેને ઝૂકવું પડ્યું છે.

અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી કે જો અમેરિકા 50 ટકા ટેરિફ લાદી રહ્યું છે, તો તમારે 75 ટકા ટેરિફ લાદવો જોઈએ. દેશ તમારી સાથે છે. અમે તમારી સાથે છીએ.

કેજરીવાલે કહ્યું કે પહેલા કપાસ 1500 રૂપિયા પ્રતિ મણ સુધીના ભાવે વેચાતો હતો. આજે ખેડૂતને 1200 રૂપિયા મળે છે. બિયારણના ભાવ વધ્યા છે, મજૂરી વધી છે પણ ખેડૂતોને ઓછો ભાવ મળે છે. હવે જો અમેરિકાથી ભારતમાં કપાસની આયાત કરવામાં આવે તો સ્થાનિક ખેડૂતો માટે ભાવ 900 રૂપિયાથી પણ ઓછો થશે. કેજરિવાલના આરોપ છે કે અમેરિકા પર 11 ટકા આયાતી ટેક્ષ ભારતે નાબૂત કરી દીધો છે. જેથી અમેરિકાનો કપાસ સસ્તો મળે છે. જેથી ભારતના ખેડૂતના કપાસ બજાર વેચાતો નથી.

અરવિંદ કેજરીવાલની ચાર માંગણીઓ રજૂ કરી

અમેરિકન કપાસની આયાત પર 11 ટકા ડ્યુટી દૂર કરવામાં આવી છે તે ફરીથી લાગુ કરવી જોઈએ.

કપાસના ખેડૂતોને પ્રતિ મણ 2100 રૂપિયાના દરે MSP આપવી જોઈએ.

ખેડૂતોના પાકને MSP ભાવે ખરીદવા જોઈએ.

ખેડૂતોને જે કંઈ પણ જોઈએ છે, જેમાં બિયારણનો પણ સમાવેશ થાય છે, તેને સબસિડી આપવી જોઈએ અને તેમના માટે સસ્તું બનાવવું જોઈએ.

આ પણ વાંચો:

india: અરવિંદ કેજરીવાલે 100% ટેરીફ લાદવાનું કેમ કહી દીધું?

ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain

UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…

 

 

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 5 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત