
બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા આસારામે(Asaram) શરતી જામીનનો ભંગ કર્યો છે. તેણે સારવાર માટે શરતી જામીન મેળવ્યા હતા. જો કે ત્યારબાદ બનાસકાંઠા જીલ્લામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે બનાસકાંઠાના પાલનપુરના મહેશ્વરી હોલમાં સત્સંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસારામના અનુયાયીઓ એકઠા થયા હતા. કાર્યક્રમ દરમિયાન મીડિયાને કવરેજ પર પ્રતિબંધ હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસને ખબર પડી કે આસારામે કાર્યક્રમ કર્યો હતો. તે બાદ પોલીસે પરવાનગી વિના કાર્યક્રમ કરવા બદલ આયોજકોના જવાબ લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વરસાદને લઈ મોટી આગાહી
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર બળાત્કારના કેસમાં 7 જાન્યુઆરીએ આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આસારામને તેમના અનુયાયીઓને ન મળવાની સૂચના આપી હતી. જોકે જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ આવ્યા હતા. જો કે ત્યાર બાદ સત્સંગ યોજતાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ ત્રિરંગાનું અપમાન કરનારા ખાલિસ્તાનીઓને ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ!(VIDEO)