બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ; બીજું શું કહ્યું?

  • World
  • December 23, 2024
  • 0 Comments

બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની દેશ વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ ભારતથી લાવી શકાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગઈ હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું, “અમે રાજદ્વારી પ્રક્રિયા હેઠળ ભારત સરકારને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પાછા મોકલવા માટે સંદેશો આપ્યા છે. અમે તેમને (ભારત સરકારને) આ સંદેશ આપ્યો છે કે અમે તેમના પર કેસ ચલાવા માંગીએ છીએ અને તેથી જ તેમની વાપસીની માંગણી કરી રહ્યા છીએ.”

તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે આ નિવેદન સોમવારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજેબી) ના મુખ્ય મથકમાં બીજેબી સ્થાપના દિવસના કાર્યક્રમમાં આપ્યું હતું.

તેમણે આ પણ કહ્યું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ પાછા મોકલી શકાય છે, તેથી વિદેશ મંત્રાલય (બાંગ્લાદેશ) ને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેથી ભારત સાથે સંપર્ક કરવા જરૂરી પગલા લેવા કરી શકાય. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (આઇસીટી) એ 17 ઓક્ટોબરે ‘ફરાર’ શેખ હસીનાના વિરૂદ્ધ વોરંટ જારી કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે ત્યારે કહ્યું હતું કે તે આ આદેશને અમલ કરવા માટે ઝડપથી પગલાં લેશે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સેકડો લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલો આ વિરોધ પ્રદર્શન બાદમાં શેખ હસીનાને પદ પરથી હટાવવાની માંગ સુધી પહોંચી ગયો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 28 જાન્યુઆરી 2013 ના રોજ પ્રત્યાર્પણ સંધી થઇ હતી. ત્યારે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને બાંગ્લાદેશના ગૃહમંત્રી મોહીઉદ્દીન ખાન આલમગીરે ઢાકામાં આ સંધી પર હસ્તાક્ષર કર્યા હતા. સંધીના આર્ટિકલ છ માં કેટલીક જોગવાઇ છે, જેમાં તે પરિસ્થિતિનો ઉલ્લેખ છે જેના હેઠળ વ્યક્તિનો પ્રત્યાર્પણ થઈ શકતું નથી.

આમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સંધી તે લોકોને લાગુ પડશે નહિ જેમણે રાજકીય અપરાધનો આરોપ છે અને તેના હેઠળ ફક્ત તે લોકો આવશે જેમણે હત્યા અને અન્ય ગંભીર અપરાધોના આરોપ છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું હતું?

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે છ ઓગસ્ટે શેખ હસીનાના ભારત આવવા વિશે સંસદને જાણકારી આપતા કહ્યું હતુ કે, શેખ હસીનાએ ખુબ જ શોર્ટ નોટિસ પર કેટલાક સમય માટે ભારત આવવાની અનુમતિ માંગી હતી.

તેમણે કહ્યું હતું, “5 ઓગસ્ટે પ્રદર્શનકારીઓ કર્ફ્યુ હોવા છતાં ઢાકામાં ભેગા થયા. અમને જેટલું સમજાયું છે તે એ છે કે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક પછી પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. ખૂબ જ ટૂંકા નોટિસ પર તેમણે થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી માંગી. આ સાથે જ અમને બાંગ્લાદેશ પ્રશાસન તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે મંજૂરી માંગી. તે કાલે સાંજે દિલ્હી પહોંચી છે.”

17 ઓક્ટોબરના સાંજે ભારત સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે શેખ હસીના હજુ પણ ભારતમાં જ છે.

Related Posts

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!
  • March 20, 2026

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે…

Continue reading
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 8 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 11 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!