બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ; બીજું શું કહ્યું?

  • World
  • December 23, 2024
  • 0 Comments

બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની દેશ વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ ભારતથી લાવી શકાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગઈ હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું, “અમે રાજદ્વારી પ્રક્રિયા હેઠળ ભારત સરકારને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પાછા મોકલવા માટે સંદેશો આપ્યા છે. અમે તેમને (ભારત સરકારને) આ સંદેશ આપ્યો છે કે અમે તેમના પર કેસ ચલાવા માંગીએ છીએ અને તેથી જ તેમની વાપસીની માંગણી કરી રહ્યા છીએ.”

તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે આ નિવેદન સોમવારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજેબી) ના મુખ્ય મથકમાં બીજેબી સ્થાપના દિવસના કાર્યક્રમમાં આપ્યું હતું.

તેમણે આ પણ કહ્યું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ પાછા મોકલી શકાય છે, તેથી વિદેશ મંત્રાલય (બાંગ્લાદેશ) ને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેથી ભારત સાથે સંપર્ક કરવા જરૂરી પગલા લેવા કરી શકાય. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (આઇસીટી) એ 17 ઓક્ટોબરે ‘ફરાર’ શેખ હસીનાના વિરૂદ્ધ વોરંટ જારી કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે ત્યારે કહ્યું હતું કે તે આ આદેશને અમલ કરવા માટે ઝડપથી પગલાં લેશે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સેકડો લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલો આ વિરોધ પ્રદર્શન બાદમાં શેખ હસીનાને પદ પરથી હટાવવાની માંગ સુધી પહોંચી ગયો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 28 જાન્યુઆરી 2013 ના રોજ પ્રત્યાર્પણ સંધી થઇ હતી. ત્યારે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને બાંગ્લાદેશના ગૃહમંત્રી મોહીઉદ્દીન ખાન આલમગીરે ઢાકામાં આ સંધી પર હસ્તાક્ષર કર્યા હતા. સંધીના આર્ટિકલ છ માં કેટલીક જોગવાઇ છે, જેમાં તે પરિસ્થિતિનો ઉલ્લેખ છે જેના હેઠળ વ્યક્તિનો પ્રત્યાર્પણ થઈ શકતું નથી.

આમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સંધી તે લોકોને લાગુ પડશે નહિ જેમણે રાજકીય અપરાધનો આરોપ છે અને તેના હેઠળ ફક્ત તે લોકો આવશે જેમણે હત્યા અને અન્ય ગંભીર અપરાધોના આરોપ છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું હતું?

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે છ ઓગસ્ટે શેખ હસીનાના ભારત આવવા વિશે સંસદને જાણકારી આપતા કહ્યું હતુ કે, શેખ હસીનાએ ખુબ જ શોર્ટ નોટિસ પર કેટલાક સમય માટે ભારત આવવાની અનુમતિ માંગી હતી.

તેમણે કહ્યું હતું, “5 ઓગસ્ટે પ્રદર્શનકારીઓ કર્ફ્યુ હોવા છતાં ઢાકામાં ભેગા થયા. અમને જેટલું સમજાયું છે તે એ છે કે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક પછી પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. ખૂબ જ ટૂંકા નોટિસ પર તેમણે થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી માંગી. આ સાથે જ અમને બાંગ્લાદેશ પ્રશાસન તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે મંજૂરી માંગી. તે કાલે સાંજે દિલ્હી પહોંચી છે.”

17 ઓક્ટોબરના સાંજે ભારત સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે શેખ હસીના હજુ પણ ભારતમાં જ છે.

Related Posts

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!
  • January 31, 2026

GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?