બજેટ 2025: ભારતે કયા પાડોશીને આપી કેટલા કરોડ રૂપિયાની મદદ; શું છે હેતુ?

  • બજેટ 2025: ભારતે કયા પાડોશીને આપી કેટલા કરોડ રૂપિયાની મદદ; શું છે હેતુ?

વિત્ત વર્ષ 2024-25 ના બજેટમાં વિદેશી સહાય માટે સુધારણા ફાળવણી 5806 કરોડ રૂપિયા હતી પરંતુ આ વર્ષે તેને ઘટાડીને 5,483 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.

જોકે, ભારતે તેના પડોશી દેશોનો સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. ભારતે માલદિવ અને અફઘાનિસ્તાન માટે સહાય વધારી છે, જ્યારે બાંગ્લાદેશ સાથે સંબંધોમાં તનાવ હોવા છતાં સહાય રકમમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.

તો આવો જાણીએ 2025-26ના બજેટમાં ભારતે પોતાના સાત પડોશી દેશોમાંથી કોણે કેટલી રાશિ આપવાની જોગવાઈ કરી છે અને તેના પાછળનું કારણ શું છે?

1. ભૂતાન

ભારત સૌથી વધારે ભૂતાનની આર્થિક મદદ કરે છે.

ભારતે 2025-26ના બજેટમાં ભૂતાન માટે 2150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

જ્યારે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન સંશોધિત બજેટ 2543 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

ભારત ભૂતાનને માળખાગત સુવિધાઓ, જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અને આર્થિક સહયોગ સંબંધિત પ્રોજેક્ટ્સ માટે સહાય પૂરી પાડે છે.

આ પણ વાંચો- નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

2. માલદીવ

પાછલા વર્ષે માલદીવ સાથે સંબંધોમાં તણાવ પછી બંને દેશો તરફથી સંબંધોને સુધારવાની કોશિશ કરવામાં આવી છે.

આની અસર માલદીવને આપવામાં આવેલી આર્થિક સહાયતામાં દેખાઈ રહી છે.

નાણાકીય વર્ષ 2024-25માં સંશોધિત બજેટ ફાળવણી દરમિયાન માલદિવને સહાયતા રાશિ 470 કરોડ રૂપિયામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો.

પરંતુ નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં આને વધારીને 600 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

અસલમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુનુ વલણ ચીન તરફી હોવાના કારણે ભારતે માલદીવ સાથે સંબંધો ખરાબ થવાના શરૂ થઈ ગયા હતા.

પરંતુ માલદીવ અને ભારત બંનેએ પહેલ કરીને સંબંધો સુધારવાની કોશિશ કરી છે.

પાછલા વર્ષે જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ તે સમયે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટ્ટાશ આવી ગઈ હતી.

માલદીવને આપવામાં આવતી મદદમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેના માટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તે સમયે આને બંને દેશો વચ્ચે વધેલા તણાવ સાથે જોડવામાં આવ્યું હતું.

પરંતુ તેના પછી 12 મહિનામાં બંને દેશોના સંબંધમાં નરમીના સંકેત મળ્યા છે. સૌથી મોટું સંકેત તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતના પ્રવાસે આવીને આપ્યું છે.

પાછલા વર્ષે મુઈજ્જુ 6થી 10 ઓક્ટોબર સુધી ભારતના સત્તાવાર પ્રવાસે આવ્યા હતા.

આ પણ વાંચો-ઈસરોનું ‘NavIC મિશન’ નિષ્ફળ! 100માં રોકેટ મિશનને મોટો ઝાટકો

3. અફઘાનિસ્તાન

ભારત અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો કાયમ કરવાની સતત કોશિશ કરી રહ્યું છે. પરંતુ બજેટમાં આની છાપ દેખાઈ રહી છે.

ભારતે પાછલા વર્ષે (2024-25)ના બજેટમાં અફઘાનિસ્તાન માટે પહેલા 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.

પરંતુ સંશોધિત બજેટમાં આ રાશિ ઘટાડીનને 50 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. પરંતુ હવે નાણાકીય વર્ષ 2025-26ના બજેટ 100 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

હાલમાં જ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દૂબઈમાં તાલિબાનના કાર્યકારી વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, ભારતે અફઘાનિસ્તાન સાથે એવા સમયે દોસ્તીનો હાથ વધાર્યો છે, જ્યારે પાકિસ્તાન સાથે તેના સારા સંબંધો સારા નથી.

4. બાંગ્લાદેશ

શેખ હસીનાના સત્તાના પતન પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે, પરંતુ આ બજેટમાં બાંગ્લાદેશને મળનારી સહાયતા રાશિમાં કાપ મૂકવામાં આવ્યો છે.

નાણાાકીય વર્ષ 2024-25માં બાંગ્લાદેશને સંશોધિત બજેટ રાશિ 120 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2025-26માં પણ આ રાશિ 120 કરોડ રૂપિયા જ છે.

જોકે, આના પર બાંગ્લાદેશના બજેટમાં મામૂલી કાપ મૂકવામાં આવ્યો હતો. પાછલા વર્ષે બાંગ્લાદેશ માટે 157 કરોડ રૂપિયાની રાશિની ફાળવણી કરવામાં આવી હતી, જે આ વખતે ઘટાડીને 120 કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચો- નિર્મલા સીતારમણે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અસર વિશે શું કહ્યું?

જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર પ્રેમાનંદ મિશ્રા કહે છે કે, બાંગ્લાદેશમાં વર્તમાન સમયમાં ભારત માટે અલગ-અલગ વલણ જોવા મળી રહ્યું છે. પરંતુ ભારત એક મોટો દેશ છે તેથી તે જોવાનું રહ્યું કે પાંચ અથવા દસ વર્ષ પછી તે જરૂરી નથી કે બાંગ્લાદેશમાં ભારત વિરૂદ્ધ આવું જ વલણ ચાલું રહેશે. કેમ કે સમાજ મોટા ભાગે રોકાણથી જ ચાલે છે.

પાછલા વર્ષ પાંચ ઓગસ્ટે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયું અને તે ભાગીને ભારત આવી ગયા. તે પછી ત્યાં મોહમ્મદ યુનૂસની આગેવાનીમાં બનેલી વચગાળાની સરકાર સતત ભારત પ્રત્યે કડક વલણ અપનાવતી જોવા મળી રહી છે.

જોકે, ભારત તરફથી બજેટમાં બાંગ્લાદેશની રાશિમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા વાદ-વિવાદના કારણે કાપ મૂકવામાં આવ્યો હોવાનું સ્પષ્ટરૂપે કહી શકાય નહીં. પરંતુ બીજા દેશોને સહાયતા બજેટમાં વધારો અથવા કાપ કરીને એક સંકેત આપવાની કોશિશ જરૂર કરે છે.

5. મ્યાનમાર

ભારતે મ્યાનમાર માટે સહાયતા રાશિને 400 કરોડ રૂપિયાથી ઘટાડીને 350 કરોડ રૂપિયા કરી દીધી છે.

આ કાપ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મ્યાનમારમાં સૈનિક શાસન અને બળવાખોરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

જોકે મ્યાનમારમાં સશસ્ત્ર સંઘર્ષના કારણે પૂર્વોત્તરમાં અશાંતિ ફેલાવનારની આશંકાને લઈને ભારત સતર્ક છે.

હાલમાં ભારતે ભારત-મ્યાનમાર સીમા પર અવરજવરને સીમિત કરવા માટે કડક નિયમ બનાવ્યા છે.

6. નેપાળ

હાલના દિવસોમાં નેપાળ પર ચીનની અસર વધી છે. પરંતુ ભારત નેપાળ સાથે સંબંધ સુધારવા સતત કોશિશ કરી રહ્યું છે.

ભારતે હાલમાં એવી એકપણ કામગીરી કરી નથી કે જેનાથી ચીન સાથે નેપાળના સંબંધો વધારે સારા બની શકે.

નાણાકીય વર્ષ 2024-25માં નેપાળનું સંશોધિત બજેટ 700 કરોડ રૂપિયા હતું.

નાણાકીય વર્ષ 2025-26માં પણ આમાં કોઈ જ કાપ મૂકવામાં આવ્યો નથી અને આને 700 કરોડ રૂપિયા જ રાખ્યું છે.

આ પણ વાંચો- ટ્રમ્પના એક નિર્ણયથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ

7. શ્રીલંકા

શ્રીલંકાને આપવામાં આવતી સહાયતા રાશિ 300 કરોડ રૂપિયાને યથાવત રાખવામાં આવી છે. આ વખતે રાશિમાં કોઈ જ કાપ મૂકવામાં આવ્યો નથી.

જોકે, હાલના દિવસોમાં શ્રીલંકાએ ભારત સાથે પોતાના સંબંધો સુધારવાની કોશિશ કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારતનો પ્રવાસ ખેડીને પોતાના તરફથી સંબંધો સુધારવાની કોશિશ કરી હતી.

આ સાથે જ આફ્રિકન દેશો માટે સહાયતા રાશિ વધારીને 225 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે જે પહેલા 200 કરોડ રૂપિયા હતી.

જોકે, લાતિન અમેરિકન દેશો માટે સહાયતા રાશિ 90 કરોડ રૂપિયાથી ઘટાડીને 60 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.

ઈરાનના ચાબાહાર બંદર માટે પણ 100 કરોડ રૂપિયાની રાશિ નક્કી કરવામાં આવી છે.

પ્રોફેસર પ્રેમાનંદ મિશ્રા કહે છે, “પ્રાદેશિક માળખામાં સૌથી મોટી શક્તિ એ છે કે તે નાણાકીય સહાય દ્વારા તેની શક્તિને વ્યાખ્યાયિત કરે છે.

“નેપાળ, ભૂતાન અથવા માલદીવ એવા દેશ છે, જે ક્યાંકને ક્યાંક અન્ય દેશ પર નિર્ભર રહે છે. એક પાંસો તે પણ છે કે પ્રાદેશિક માળખામાં ચીન ખુબ જ કેશ રિચ દેશ છે, જે દેશોની મદદ તો કરે છે પરંતુ શરત વગર આવું કરતો નથી. તેથી ભારત આ પ્રાદેશિક સર્વોપરિતાના પડકારોનો સામનો કરવા માટે અન્ય દેશોને મદદ કરે છે.”

તેઓ કહે છે કે ઈકોનોમિક એંગ્જેમેન્ટ એક લાંબા સમય માટે કરવામાં આવેલા રોકાણ જવું છે. જ્યારે કોઈ દેશને તમે મદદ કરો છો તો તેઓ ત્યાંના લોકો સુધી પહોંચાડે છે. તેથી તે દેશમાં ભારતની છબીમાં ધરખમ ફેરફાર આવે છે. આંતરાષ્ટ્રીય સંબંધોમાં પરસેપ્શનનો (ધારણા) જ સૌથી મોટો ખેલ હોય છે.

તે ઉપરાંત અન્ય દેશોને મદદ આપીને પોતાની અર્થવ્યવસ્થાની મજબૂતી પણ નજર આવે છે, કે અમારા પાસે એટલી શક્તિ છે કે અમે મદદ કરીએ છીએ, લેતા નથી.

આ પણ વાંચો- Ahmedabad: ઈ-કોમર્સ સાઈટને હેક કરવા મામલે વધુ એકની ધરપકડ? ટોળકી સાઈટ સાથે છેડછાડ કરી કરોડો રુપિયા કેવી રીતે કમાતી?

Related Posts

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?