Chaitar Vasava case: હાઈકોર્ટમાં વકીલોની હડતાળ ચૈતર વસાવાને નડી, જામીન અરજી પર સુનાવણી ફરી ટળી

Chaitar Vasava case: આમ આદમી પાર્ટી (AAP)ના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, પરંતુ વકીલોની હડતાળને કારણે સુનાવણી થઈ શકી નથી. ચૈતર વસાવા 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

શું છે સમગ્ર મામલો?

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે 5 જુલાઈ, 2025ના રોજ ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (ATVT)ની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. સંજય વસાવાની ફરિયાદ મુજબ, ચૈતર વસાવાએ બેઠક દરમિયાન એક મહિલા અધિકારી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનો સંજય વસાવાએ વિરોધ કરતાં ચૈતરે તેમના પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકી હુમલો કર્યો હતો. આ ઉપરાંત, તેમણે કાચના ટુકડા લઈને સંજય વસાવાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 79 (મહિલાની નમ્રતાનું અપમાન), 115(2) (ઈજા પહોંચાડવી), 351(3) (ગુનાહિત ધમકી), 352 (અપમાન) અને 324(3) (સંપત્તિને નુકસાન) હેઠળ FIR નોંધવામાં આવી હતી.

જામીન અરજી નર્મદા સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી

ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમની જામીન અરજી નર્મદા સેશન્સ કોર્ટે 14 જુલાઈએ નકારી કાઢી હતી. કોર્ટે પ્રોસિક્યુશનની દલીલને ધ્યાને લીધી હતી કે, ચૈતર 2014થી 18 ગુનાહિત કેસમાં સામેલ રહ્યા છે અને 2023માં એક અન્ય મારામારીના કેસમાં છ મહિનાની સજા થઈ હતી, જોકે તેમને પ્રોબેશન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ચૈતરના સમર્થકો દ્વારા સરકારી કચેરીઓ અને જેલને નુકસાન પહોંચાડવાની ધમકીઓના ઓડિયો-વિડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે કોર્ટે જામીન નકાર્યા હતા.

આ કારણે ના થઈ શકી કાર્યવાહી

ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. 5 ઓગસ્ટ અને 13 ઓગસ્ટે પણ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. આજે
ફરી સુનાવણી થવાની હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાળને કારણે કોઈ કાર્યવાહી થઈ શકી નથી. હડતાળના કારણે વકીલો કામગીરીથી દૂર રહ્યા, જેની સીધી અસર ચૈતરના કેસ પર પડી છે.

દેડિયાપાડામાં તણાવ સર્જાયો હતો

આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મામલે ભાજપ પર રાજકીય વેરનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વિસાવદર બાય-ઈલેક્શનમાં AAPની જીતથી ભાજપ ગુસ્સે છે, અને આ ધરપકડ રાજકીય બદલાની કાર્યવાહી છે. AAPના અન્ય નેતા ગોપાલ ઈટાલિયાએ પણ આ કેસને “રાજકીય ષડયંત્ર” ગણાવ્યું હતું. બીજી તરફ, ચૈતરના સમર્થકો અને પોલીસ વચ્ચે ધરપકડ બાદ દેડિયાપાડામાં તણાવ સર્જાયો હતો, જેના કારણે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેશે

હાઈકોર્ટમાં હડતાળના કારણે સુનાવણી ન થતાં ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેશે. હવે આગામી સુનાવણીની તારીખની રાહ જોવાઈ રહી છે. આ કેસે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે, અને ચૈતર વસાવાના સમર્થકો આગળના કાનૂની પગલાં પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 4 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 3 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 5 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 3 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 5 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!