
- અરવિંદ કેજરીવાલ જ નહીં પીએમ મોદી-અમિત શાહ સામે પણ નોંધાશે ફરિયાદ
એક દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા હતા કે, કોર્ટે દિલ્હી પોલીસને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ AAP પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ જાહેર નાણાંનો દુરુપયોગ કરીને વિશાળ હોર્ડિંગ્સ લગાવવા બદલ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
જોકે, હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્યે એક પ્રેસ કોન્ફ્રન્સમાં ખુલાસો કર્યો છે કે, શિવકુમાર સક્સેના દ્વારા સાર્વજનિક સ્થાનો પર હોર્ડિંગ લગાવવા માટે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પરંતુ ત્યાં તેમની ફરિયાદ લેવામાં આવી નથી. તે પછી તેમને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કોર્ટે આદેશ આપ્યો કે ફરિયાદ પત્રને સંજ્ઞાનમાં લઈને એફઆઈઆર નોંધો પરંતુ કોઈપણ મીડિયા સંસ્થાએ ફરિયાદકર્તાનો પત્ર વાંચ્યો નથી.
कोर्ट ने PM मोदी समेत कई BJP नेताओं के ख़िलाफ़ FIR दर्ज करने को कहा, लेकिन उनका नाम ख़बरों से गायब‼️
👉 शिवकुमार सक्सेना जी ने सार्वजनिक स्थानों पर होर्डिंग लगवाने के लिए द्वारका थाने में शिकायत दी लेकिन वहाँ शिकायत दर्ज नहीं हुई। इसके बाद वह कोर्ट गए
👉 कोर्ट ने आदेश दिया कि… pic.twitter.com/APG4hUGVFp
— AAP (@AamAadmiParty) March 12, 2025
શિવકુમારે અરવિંદ કેજરીવાલ સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, મનોજ તિવારી, પ્રવેશ વર્મા, રમેશ બિઘૂડી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, પરંતુ મીડિયાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિચ બીજેપી નેતાઓના નામ જ ગાયબ કરી દીધા અને એવું બતાવવામાં આવ્યું કે માત્ર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે.