
Dahod NTPC solar plant fire: દાહોદમાં આવેલી સોલારની કંપનીમાં આગ ભભૂકતા કરોડોનું નુકસાન થયું છે. દાહોદની NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. હાલ આગ પર કાબૂ મેળવાયો છે. જો કે આગ લાગતાં મોટું નુકસાન થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતાં પ્લાન્ટમાં આગ ભભૂકતાં અંદાજે 400 કરોડનું નુકસાન થયું છે. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ સહિત 5થી વધુ JCB પણ કામે લાગ્યા હતાં, 13 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા નિર્માણાધીન સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે, 400 કરોડના નુકસાનનો અંદાજ લગાવાય રહ્યો છે.
સોલાર પ્લાન્ટના 95% સાધન સમગ્રી બળીને રાખ
ગુજરાતના દાહોદના ભાટીવાડામાં નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ 70 મેગાવોટનો સોલાર પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં છે. આગ ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી અને પવનને કારણે એટલી ઝડપથી ફેલાઈ હતી. આ આગ આખી રાત સુધી સળગતી રહી હતી.
સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે જેવી વસ્તુઓ અહીં રાખવામાં આવી હતી, આમાંથી મોટાભાગની વસ્તુઓ રાખ થઈ ગઈ છે. આ આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું છે. આગની ઘટના મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. આ આગથી મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ
Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?
Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!