સુરત DCP પિનાકીન પરમારે મારી વિરુધ્ધ ગુનો નોંધવા ધમકી આપી: પોલીસકર્મીના અપહરણ મુદ્દે DCP પાસે ગયા હતા

DCP Pinakin Parmar: સુરતના DCP પિનાકીન પરમારે એક નાગરિકને ગુનામાં સંડોવી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. જાગૃત નગારિકે આ મામલે પોલીસ કમિશનર સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંને રજૂઆત કરી તપાસની માગ કરી છે.

મળતી જાણકારી અનુસાર સુરત શહેરના ઝોન-3ના નાયબ પોલીસ કમિશ્નર પિનાકીન પરમારે જાગૃત નગારિકને ધમકી આપી છે. રજૂઆતમાં નાગરિક સંજય ઈઝાવા(રહે. સુરત) જણાવ્યું છે કે સમાજસેવાના કામો વર્ષોથી કરતો આવું છું. તા 04-03-2025ના રોજ હું સુરત શહેર પોલીસ, ઝોન-3 નાયબ પોલીસ કમિશ્નર, પિનાકીન પરમારના કાર્યાલયમાં ગયો હતો. કારણ કે સુરત શહેર પોલીસ, ઝોન -3 વિસ્તારમાં ફરજ બજાવી રહેલ મિથુનભાઈ રંગાભાઈ ચૌધરી નામના હેડ કોન્સ્ટેબલના અપહરણ થયું હતુ. આ મામલે મિથુનભાઈના ધર્મપત્ની શર્મીલાબેને પિનાકીન પરમારે બોલાવ્યા હતા. તો હું તેમની સાથે ગયો હતો.

ઉલ્લેખનયી છે કે ભૂતકાળમાં પોલીસકર્મીઓ દ્વારા શર્મીલાબેન મિથુનભાઈ ચૌધરી પાસેથી અમુક પેપરોમાં સહી કરાવી લેવાની ઘટના બની છે. એટલા માટે આ વખતે શર્મીલાબે જાગૃત નાગરિક સંજય ઈઝાવાને સાથે લઈ ગયા હતા. મુલાકાત દરમિયાન DCP અને સંજય ઈઝાવાને બોલાચાલી થઈ હતી. ત્યારે DCPએ મારી પાસે નાગરિક સાથે ન છાજે તેવું વર્તન કર્યું હતુ.

આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ

સંજય ઈઝાવાએ DCP પર આક્ષેપ કર્યા છે કે પિનાકીન પરમાર દ્વારા પોતાના કાર્યાલયમાં એમના કેબીન આગળ “Mobile phone not allowed” લખવામાં આવેલ પોસ્ટર ચીપકાવ્યું છે. મુલાકાતીઓને પોતાનો મોબાઇલ બહાર મુકવા મજબુર કરે છે, કોઈ પણ વ્યક્તિને પોતાના મોબાઇલ સાથે પિનાકીન પરમારના કેબીનમાં જતા સહ પોલીસકર્મીઓ અટકાવે છે. મોબાઈલ બહાર મૂકીને પિનાકીન પરમારને મળવાનું કહે છે. જેથી મોબાઈલ બહાર મૂકવાની સાબિતી માગતાં ઉગ્ર બાલાચાલી થઈ હતી. ત્યારે અર્ધ ખુ્લ્લા દરવાજેથી આ તકરાર સાંભળતાં DCP પિનાકીન પરમારએ ધમકી આપી હતી કે “એમને કહો વધારે બોલ બોલ ના કરો, નહિતર ગુનો નોંધીને અંદર નાખી દેશું.”

જાગૃત નાગરિકોના સવાલો કર્યા છે કે પોતાના ચેમ્બરમાં આવતા મુલાકાતીઓ સાથે સંસદીય ભાષામાં અને કામની વાતો, રજુઆતો સંભાળવા માટે મોબાઇલ કઈ રીતે અવરોધ ઉભો કરે છે? અધિકારીઓ કરી રહેલા ગેરકાયદેસર નાણાની માંગ અને ભ્રષ્ટાચારની વાત કોઈને ખબર ન પડે એટલા માટે મોબાઈલ સાથે આવનાર મુલાકાતીઓને અટકાવે છે?

આ પણ વાંચોઃ સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, કેન્દ્રીય મંત્રીની જાહેરાત, એક સાથે આટલા યાત્રીઓ બેસી શકશે?|Kedarnath Ropeway Project

જાગૃત નાગરિકો દારુના દૂષણ મામલે રજૂઆત કરી હતી?

જાગૃત નગારિકે સંજય ઈઝાવાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં વધુમાં કહ્યું છે કે પોલીસ અધિકારીઓ એક જાગૃત નાગરિક સામે આ પ્રકારના ગેરવર્તનો કરે તો સામાન્ય નાગરીકો સામે કયા પ્રકારના ગેરવર્તનો કરતા હોય તે વિચારવા જેવી વાત છે, પિનાકીન પરમારના પોતાના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ સામે ભૂતકાળમાં કરવામાં આવેલી ફરિયાદોનું પરિણામ છે આ પ્રકારનું ગેરવર્તન અંગે તપાસ કરાવવા પોલીસ કમિશનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત સબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે.

મિથુનભાઈ રંગાભાઈ ચૌધરી નામના હેડ કોન્સ્ટેબલનું છેલ્લા અઢી વર્ષથી (30મહિના થી) ફરજ દરમિયાન અપહરણ ગયું હતુ. તેમ છતાં હોવા પિનાકીન પરમાર તપાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કર્યા છે. અપહરણ થયેલા હેડ કોન્સટેબલ મિથુનભાઈ રંગાભાઈ ચૌધરીની તપાસ ચાલુ છે. જે તમામ મામલે નાગરિકે તપાસ કરવા માગ કરી છે.

આ પણ વાંચોઃ વરૂણ ચક્રવર્તીએ 143 બોલરોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં કેપ્ટન રોહિતને નુકશાન; વિરાટ-અક્ષર પટેલને ફાયદો

આ પણ વાંચોઃ RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 3 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે?જાણો,ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’