Delhi: સૌનો સાથ સૌનો વિનાશ ! દિલ્હીમાં CM રેખા ગુપ્તાનું રૌદ્ર રુપ

Delhi Old Vehicle Ban:દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા શપથ લીધા પછીથી ઝડપથી નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ માટે, દિલ્હીમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દિલ્હીમાં 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. જો કે, ભારે વિરોધ બાદ દિલ્હી સરકારે આ નિર્ણયને પાછો લીધો છે ત્યારે રેખા ગુપ્તા કેમ આવા નિર્ણય લઈ રહ્યા છે આ મામલે રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ વિગતે વાત કરી હતી.

દિલ્હી સરકારના નિર્ણયનો ભારે વિરોધ

દિલ્હી સરકારે 1 જુલાઈ, 2025 થી રાજધાનીમાં ‘નો ફ્યુઅલ ફોર ઓલ્ડ વ્હીકલ પોલિસી’ લાગુ કરી છે, જે હેઠળ રાજ્યના કોઈપણ પેટ્રોલ પંપ પરથી 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને ઈંધણ આપવામાં આવી રહ્યું નથી .આ નિર્ણયનો હેતુ રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાનો કહેવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે, આપણે હજુ પણ 40 વર્ષ જૂના વિમાનો ઉડાડી રહ્યા છીએ અને ઘણી ટ્રેનો, બસો અને બોટ 30 વર્ષથી વધુ જૂની છે. તો પછી ફક્ત ખાનગી વાહનો પર જ પ્રતિબંધ કેમ છે?

વિરોધ બાદ દિલ્હી સરકારે લીધો યુટર્ન

દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો માટે ઇંધણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર દિલ્હી સરકારે યુ-ટર્ન લીધો છે . સરકારનું કહેવું છે કે તેને હમણાં લાગુ કરવું ખૂબ જ વહેલું ગણાશે. દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ને વિનંતી કરી છે કે 1 જુલાઈ, 2025 થી અમલમાં આવતા ઓર્ડર નંબર 89 ને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. દિલ્હી સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો અને કેબ ડીલરો ખૂબ જ નિરાશ થયા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય લાખો લોકોના જીવન અને આજીવિકાને બરબાદ કરશે.

 રેખા ગુપ્તાના નર્ણય પર રાજકીય વિશ્લેષકે શું કહ્યું  ? 

દિલ્હીમાં રેખા ગુપ્તાનું રૌદ્ર રુપ જોવા મળી રહ્યું છે તેઓ એક બાદ એક એવા નિર્ણયો કરી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે રેકા ગુપ્તા કેમ આવા નિર્ણય લઈ રહ્યા છે તેના કારણે દિલ્હીવાસીઓની શું હાલાત છે તે અંગે  રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ શું કહ્યું જુઓ વીડિયો…

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
    • October 16, 2025

    MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

    Continue reading
    Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
    • October 13, 2025

    Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

    • October 26, 2025
    • 2 views
    Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    • October 26, 2025
    • 1 views
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    • October 26, 2025
    • 2 views
    ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

    • October 26, 2025
    • 10 views
    Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

    Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

    • October 26, 2025
    • 7 views
    Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

    Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

    • October 26, 2025
    • 25 views
    Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા