Sneha Debnath Missing: દિલ્હીમાં ત્રિપુરાની 19 વર્ષિય યુવતી ગુમ, CCTV સામે મોટા પ્રશ્નો,  ક્યાં ગઈ સ્નેહા?

  • India
  • July 13, 2025
  • 0 Comments

Sneha Debnath Missing: દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષીય વિદ્યાર્થિની સ્નેહાના ગુમ થવાથી ફરી એકવાર દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. સ્નેહાનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાએ રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર સીસીટીવી કવરેજમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. દિલ્હી યુનિવર્સિટીની આત્મા રામ સનાતન ધર્મ કોલેજની વિદ્યાર્થિની સ્નેહા દેબનાથ ત્રિપુરાની રહેવાસી છે અને ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી આવી હતી. 7 જુલાઈના રોજ, તે સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પર એક મિત્રને મૂકવા ગઈ હતી. ત્યારથી તે ગુમ છે.

પિતા ડાયાલિસિસ પર છે, પુત્રી ગાયબ, પરિવાર પર આભ તૂટ્યું

સ્નેહાનો પરિવાર તેને શોધી રહ્યો છે અને તેને શોધવામાં મદદ માટે અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાના કાર્યાલયે આ ઘટનાની નોંધ લીધી છે અને રાજ્ય પોલીસને 19 વર્ષીય વિદ્યાર્થીની શોધમાં જોડાવા નિર્દેશ આપ્યો છે. સ્નેહા દેબનાથ ભૂતપૂર્વ આર્મી સૈનિક સુબેદાર મેજર (માનદ લેફ્ટનન્ટ) પ્રીતિશ દેબનાથ (નિવૃત્ત) ની પુત્રી છે, જે હાલમાં કિડની ફેલ્યોરથી પીડાઈ રહી છે અને ડાયાલિસિસ પર છે.

સીસીટીવી કેમેરા એક મોટું બ્લાઇન્ડ સ્પોટ બન્યા

સ્નેહાની માતાએ જણાવ્યું કે 7 જુલાઈના રોજ મારી પુત્રીએ કહ્યું હતું કે તે તેના સહેલીને સરાઈ રોહિલા રેલવે સ્ટેશન પર તેની 6.45 વાગ્યેની ટ્રેન માટે મૂકવા જઈ રહી છે. તેની માતાનો તેની સાથે છેલ્લો સંપર્ક સવારે 5.56 વાગ્યે થયો હતો. જ્યારે અમે સવારે 8.45 વાગ્યે ફરીથી ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હતો. પાછળથી અમને ખબર પડી કે તેની મિત્રને તે મળી જ ન હતી.  કેબ ડ્રાઇવરનો સંપર્ક કરતાં, તેણે કહ્યું કે તેણે તેને રેલવે સ્ટેશન પર નહીં પરંતુ સિગ્નેચર બ્રિજ પર છોડી દીધી હતી, જે એક જાણીતું સ્થળ છે જ્યાં એક પણ સીસીટીવી કેમેરા કામ કરતો નથી, જેના કારણે હવે આ કેસ વધુ જટિલ બન્યો છે.

4 મહિનાથી ખાતામાંથી કોઈ પૈસા ઉપાડ્યા નથી

સ્નેહાના છેલ્લા  લોકેશન અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી. 9 જુલાઈના રોજ NDRF એ 7 કિમીના ત્રિજ્યામાં શોધખોળ કરી, પરંતુ સ્નેહાનો કોઈ પત્તો લાગ્યો નથી. માતાએ કહ્યું કે સ્નેહાએ છેલ્લા 4 મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસા ઉપાડ્યા ન હતા અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરેથી નીકળી ગઈ હતી.

સૌથી મોટી વાત એ છે કે સ્નેહા ગુમ થયાના 2 દિવસ વીતી ગયા પછી FIR દાખલ કરવામાં આવી હતી. પરિવારે કહ્યું, “અમારું દ્રઢપણે માનવું છે કે જો સિગ્નેચર બ્રિજ અને તેની આસપાસ લગાવેલા CCTV કેમેરા કામ કરતા હોત, તો અમને અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હોત કે અમારી પુત્રીનું શું થયું છે.” સ્નેહાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે.

મુખ્યમંત્રીએ યુવતીને જલ્દી શોધવા સૂચના આપી

ઘટનાની જાણ થતાં જ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને પોલીસને શક્ય તેટલી વહેલી તકે સ્નેહાને શોધવાનો નિર્દેશ આપ્યો. X પર તેમણે લખ્યું, ‘મુખ્યમંત્રી કાર્યાલયને દિલ્હીમાં ત્રિપુરાના સબરૂમની રહેવાસી સ્નેહા દેબનાથના ગુમ થવા અંગે માહિતી મળી છે. આ મામલે પોલીસને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેથી સમયસર અને યોગ્ય કાર્યવાહી કરી શકાય.’

આ પણ વાંચોઃ

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Odisha: પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરતાં પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ, ભાગ્યે જ બચે, કોલેજ તંત્રએ પગલા ન લેતાં ભર્યું ભગલું

Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો

Chhota Udepur: આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ, ફરી એક પ્રસૂતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવી પડી

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ

Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

 

 

 

 

Related Posts

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો
  • August 5, 2025

120 Bahadur: 120 બહાદુર’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં 120 ભારતીય સૈનિકોની…

Continue reading
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
  • August 5, 2025

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 4 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 15 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court