Sneha Debnath Missing: દિલ્હીમાં ત્રિપુરાની 19 વર્ષિય યુવતી ગુમ, CCTV સામે મોટા પ્રશ્નો,  ક્યાં ગઈ સ્નેહા?

  • India
  • July 13, 2025
  • 0 Comments

Sneha Debnath Missing: દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષીય વિદ્યાર્થિની સ્નેહાના ગુમ થવાથી ફરી એકવાર દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. સ્નેહાનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાએ રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર સીસીટીવી કવરેજમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. દિલ્હી યુનિવર્સિટીની આત્મા રામ સનાતન ધર્મ કોલેજની વિદ્યાર્થિની સ્નેહા દેબનાથ ત્રિપુરાની રહેવાસી છે અને ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી આવી હતી. 7 જુલાઈના રોજ, તે સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પર એક મિત્રને મૂકવા ગઈ હતી. ત્યારથી તે ગુમ છે.

પિતા ડાયાલિસિસ પર છે, પુત્રી ગાયબ, પરિવાર પર આભ તૂટ્યું

સ્નેહાનો પરિવાર તેને શોધી રહ્યો છે અને તેને શોધવામાં મદદ માટે અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાના કાર્યાલયે આ ઘટનાની નોંધ લીધી છે અને રાજ્ય પોલીસને 19 વર્ષીય વિદ્યાર્થીની શોધમાં જોડાવા નિર્દેશ આપ્યો છે. સ્નેહા દેબનાથ ભૂતપૂર્વ આર્મી સૈનિક સુબેદાર મેજર (માનદ લેફ્ટનન્ટ) પ્રીતિશ દેબનાથ (નિવૃત્ત) ની પુત્રી છે, જે હાલમાં કિડની ફેલ્યોરથી પીડાઈ રહી છે અને ડાયાલિસિસ પર છે.

સીસીટીવી કેમેરા એક મોટું બ્લાઇન્ડ સ્પોટ બન્યા

સ્નેહાની માતાએ જણાવ્યું કે 7 જુલાઈના રોજ મારી પુત્રીએ કહ્યું હતું કે તે તેના સહેલીને સરાઈ રોહિલા રેલવે સ્ટેશન પર તેની 6.45 વાગ્યેની ટ્રેન માટે મૂકવા જઈ રહી છે. તેની માતાનો તેની સાથે છેલ્લો સંપર્ક સવારે 5.56 વાગ્યે થયો હતો. જ્યારે અમે સવારે 8.45 વાગ્યે ફરીથી ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ હતો. પાછળથી અમને ખબર પડી કે તેની મિત્રને તે મળી જ ન હતી.  કેબ ડ્રાઇવરનો સંપર્ક કરતાં, તેણે કહ્યું કે તેણે તેને રેલવે સ્ટેશન પર નહીં પરંતુ સિગ્નેચર બ્રિજ પર છોડી દીધી હતી, જે એક જાણીતું સ્થળ છે જ્યાં એક પણ સીસીટીવી કેમેરા કામ કરતો નથી, જેના કારણે હવે આ કેસ વધુ જટિલ બન્યો છે.

4 મહિનાથી ખાતામાંથી કોઈ પૈસા ઉપાડ્યા નથી

સ્નેહાના છેલ્લા  લોકેશન અને આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી. 9 જુલાઈના રોજ NDRF એ 7 કિમીના ત્રિજ્યામાં શોધખોળ કરી, પરંતુ સ્નેહાનો કોઈ પત્તો લાગ્યો નથી. માતાએ કહ્યું કે સ્નેહાએ છેલ્લા 4 મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસા ઉપાડ્યા ન હતા અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરેથી નીકળી ગઈ હતી.

સૌથી મોટી વાત એ છે કે સ્નેહા ગુમ થયાના 2 દિવસ વીતી ગયા પછી FIR દાખલ કરવામાં આવી હતી. પરિવારે કહ્યું, “અમારું દ્રઢપણે માનવું છે કે જો સિગ્નેચર બ્રિજ અને તેની આસપાસ લગાવેલા CCTV કેમેરા કામ કરતા હોત, તો અમને અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હોત કે અમારી પુત્રીનું શું થયું છે.” સ્નેહાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે.

મુખ્યમંત્રીએ યુવતીને જલ્દી શોધવા સૂચના આપી

ઘટનાની જાણ થતાં જ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને પોલીસને શક્ય તેટલી વહેલી તકે સ્નેહાને શોધવાનો નિર્દેશ આપ્યો. X પર તેમણે લખ્યું, ‘મુખ્યમંત્રી કાર્યાલયને દિલ્હીમાં ત્રિપુરાના સબરૂમની રહેવાસી સ્નેહા દેબનાથના ગુમ થવા અંગે માહિતી મળી છે. આ મામલે પોલીસને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેથી સમયસર અને યોગ્ય કાર્યવાહી કરી શકાય.’

આ પણ વાંચોઃ

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Odisha: પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરતાં પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ, ભાગ્યે જ બચે, કોલેજ તંત્રએ પગલા ન લેતાં ભર્યું ભગલું

Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો

Chhota Udepur: આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ, ફરી એક પ્રસૂતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવી પડી

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ

Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

 

 

 

 

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 7 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 10 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!