ગૃહમંત્રીના નિવેદનને ભૂલાવવા રાહુલ પર કરાઈ FIR? ધક્કામુક્કી અંગે શક્તિસિંહે શું કહ્યું?

  • India
  • December 20, 2024
  • 0 Comments

ગઈકાલે સંસદના ચાલુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. ધક્કામૂક્કીમાં બેથી વધુ ભાજપના નેતા પડી ગયા હતા. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વગતા ગબડી પડ્યા હતા. આ ધક્કો રાહુલ ગાંધીએ માર્યો હોવાના આરોપ લાગ્યા હતા.

જેમાં સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. ત્યારે આ મામલો ગરમાતાં ગઈકાલે સાંજ જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ ભાજપ દ્વારા નોંધવામાં આવી હતી. આ મામલે હવે ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તા પક્ષે સંયમ જાળવવો જોઈએ. અમારી પાર્ટીના નેતા અને મહિલાઓને પણ ધક્કા મારવામાં આવ્યા છે. કોંગ્રેસના વખતમાં આવું થયું ન હતુ.

શક્તિસિંહ ગોહિલ વધુમાં કહ્યું હતુ કે ભાજપે ખોટા નિવેદનો આપી બીજા પર આંગળી ચીથી રહી છે. તેમના જ પક્ષમાંથી ગૃહમંત્રી અમિત શાહને સમજાવ્યા હતા. કે દેશનું બંધારણ ઘડનારને આંબેડર આંબેડર ન કહો. છતાં તેમણે વિવાદીત ભાષણ ચાલું રાખ્યું હતુ. બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે.

શક્તિસિંહે એમ પણ કહ્યું કે બાબા સાહેબ અંગે કરેલા વાણીવિલાસના મુદ્દાને ભૂલાવવા રાહુલ ગાંધી પર ફરિયાદ કરવામાં આવી છે. લોકોને આંબેડરના નિવેદનના મુદ્દા પરથી ધ્યાન ભટાકવવાનું કામ કર્યું છે.

જેથી હવે આંબેડર અને ધક્કામુક્કી મામલે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો એક બીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. દેશના વિકાસના મુદ્દા ભૂલાવી પોતાની ચર્ચાઓમાં પડ્યા છે. સંસદમાં લોકિહતના મુદ્દાઓ ચર્ચાઈ થતી હોય છે. ત્યારે હાલ સંસદમાં વિવાદોની ચર્ચાએ જોર પકડયુ છે. આ હોબાળાથી દેશના નાગરિકોમાં પણ રોષ ફેલાયો છે.

અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.” અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે.

Related Posts

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading
Renuka Chowdhury : “એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું જાણે” રેણુકા ચૌધરીએ કેમ આવુ કહ્યું ?
  • August 6, 2025

Renuka Chowdhury : રાજયસભામાં કોંગ્રસની સાસંદ રેણુકાએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારને સવાલો કર્યા હતા. એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 8 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 18 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના