
Ahmedabad Fire in AC: અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે એક ACના ગોડાઉનમાં આગ ભભકી ઉઠતાં મોટાપાયે નુકસાન થયું છે. જ્યારે 2 લોકો દાઝી ગયા છે. જ્યારે બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ બહાર આવ્યું નથી. આ આગની ઘટના ગત સાંજે બની હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
માતા અને બાળકનું મોત
મળતી જાણકારી અનુસાર અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના મકાનમાં ગઈકાલે સાંજે 6 એપ્રિલે સાંજના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયંકર હતી કે ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું મોત સારવાર દરમિયાન મોત થયું છે.
રહેણાક વિસ્તારમાં ACનું ગોડાઉન?
Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, મકાનમાં ACનું ગોડાઉન હોવાની રાવhttps://t.co/UuwgPVMK73#thegujaratreport #Ahmedabad #જીવરાજપાર્કચારરસ્તા #ACFire #news #gujrat #VIDEO pic.twitter.com/tiFs8V8mX7
— The Gujarat Report (@TGujarat_Report) April 7, 2025
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાક મકાનને જ ACનું ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની માહિતી છે. જ્યાં એર કન્ડીશનર (AC)ના ગેસના બાટલાઓ રાખવામાં આવ્યા હતા. જેમાં આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભીષણ આગની ચપેટમાં વાહનો પણ આવી ગયા હતા.
આ પણ વાંચોઃ Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?
આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો