Navsari River Five People Drowned: નવસારી જીલ્લાના ધારાગરીરી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં નાહવા પડેલી 4 મહિલાઓ ડબી હતી. સાથે જ બચાવવા પડેલો એક યુવક પણ ડૂબી ગયો છે. આ ઘટનામાં ત્રણ મહિલાનો જીવ બચ્યો છે. જ્યારે એક ગર્ભવતી મહિલા અને તેના દિયરનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી આરતી શૈલેષ શેખલિયા(ઉ.વ. 22)ને ત્રણ મહિનાનો ગર્ભ હતો, જ્યારે તેના દિયર કલ્પેશ હસમુખ શેખલિયા(ઉ.વ.25)ના લગ્નને માત્ર 12 મહિના થયા હતા.
મહિલાઓ નદીએ કપડાં ધોવા ગઈ હતી
નવસારીની પૂર્ણા નદીમાં બનેલી આ ઘટના ધારાગીરી ગામ નજીક બની હતી. ચાર મહિલાઓ નદીના કિનારે કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા પાણીમાં ડૂબવા લાગી, જેને બચાવવા અન્ય ત્રણ મહિલાઓ પણ નદીમાં કૂદી પડી હતી. પરંતુ પાણીનો પ્રવાહ ઝડપી હોવાથી તેઓ પણ ડૂબી ગઈ હતી. આ ઘટના જોઈને એક મહિલાનો દિયર તેમને બચાવવા નદીમાં કૂદ્યો, પરંતુ તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.
સ્થાનિક માછીમારો અને રહેવાસીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે. પરંતુ એક મહિલાનું મોત નીપજ્યું છે. તેનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બચાવવા કૂદેલો યુવક કલ્પેશ હસમુખ શેખલિયા પણ મોતને ભેટ્યો હોવાની માહિતી મળી છે.
આ ઘટના 8 એપ્રિલ, 2025ના રોજ બપોરે બની હતી. પૂર્ણા નદીમાં પાણીનું સ્તર સામાન્ય રીતે ઉનાળામાં ઓછું હોય છે, પરંતુ સ્થાનિક સૂત્રો અનુસાર, નદીના કેટલાક ભાગોમાં ઊંડાઈ અને પ્રવાહ અચાનક વધી જાય છે, જે આવી ઘટનાઓનું કારણ બની શકે છે. હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
March 19, 2026
Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
March 19, 2026
■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!