
ગૃહ વિભાગ વિભાગમાં ફોજદારી કેસો સબંધિત કેસો સંભાતી શાખાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની તમામ અદાલતોમાં ફોજદારી કેસોની કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપી દેવામાં આવી છે. જીલ્લાનાં ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરતી શાખાઓનાં રેકોર્ડ, રજીસ્ટ્રાર અને સ્ટાફ ગૃહ વિભાગ હસ્તક તબદીલ થશે.
સરકારી વકીલોની નિમણૂક, રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય સાથે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે.
ઠરાવમાં કાયદા વિભાગે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ પ્રમાણે કાયદા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ જે અત્યાર સુધી ફોજદારી કેસોની દેખરેખ રાખતી હતી તેને ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ધ્યાન રાખતી બી-1 શાખા તેને ફાળવવામાં આવેલા વિષયો ગૃહ વિભાગને સોંપશે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જ્યોગ્રાફી કરાવનાર વધુ એક વૃધ્ધનું મોત, પરિવારે કરી શું માગ?