ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

Gujarat Samachar ED, IT Raid: છેલ્લા બે દિવસથી IT દ્વારા રાજ્યના અગ્રણી અખબાર ગુજરાત સમાચાર અને તેના ડિજિટલ પ્લેટફોર્મ GSTV પર રેડ પાડી છે. હવે બંને સ્થળે ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગત સાંજે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે લોકો દ્વારા આ કાર્યવાહીની સખત વિરોધ થઈ રહ્યો છે. સરકાર સ્વતંત્રતા પર તરાપ મારાવી રહી છે. સરકારને સવાલ કરતાં મિડિયાનો અવાજ દબાવી રહી છે.

સરાકર સામે અવાજ ઉઠાવતાં ગુજરાત સમાચાર અને GSTV પર રેડ કેમ પાડવામાં તે સામે આવ્યું નથી. ગુજરાત સમાચારે પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.   જો કે આપ નેતા ઈસુદાન ગઢવીએ આ દરોડા સામે પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે IT 36 કલાક તપાસ ચાલી હતી. જેવી IT ટીમ નીકળે છે, એવી ગેટમાંથી EDની ટીમ પ્રવેશ કરે છે. અને જૂનો કેસો ઉકેલીને બાહુબલીભાઈની ધરપકડ કરવામાં આવે છે. ઈસુદાને આ લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. પત્રકારત્વના ચૌથા સ્તંભ પર હુમલો કહ્યો. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર ખોટી રીતે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

ગુજરાત સમાચારને સળગાવી દેવાનો ઉલ્લેખ કરી શું કહ્યું?

તેમણે કહ્યું કે ગુજરાત સમાચારને સળગાવી દેવામાં આવ્યું ત્યારે પણ આ છાપુ જનતાને સત્ય પીરસતાં કોઈએ રોક્યું ન હતુ. તેમણે કહ્યું ગુજરાત સમાચાર અને GSTV નિડરતાથી સરકારની ટીકા ટીપ્પણી અને ફેવર  સત્ય સાથે મૂકે છે. ED દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે લોકશાહી અને પત્રકારત્વ પર હુમલો છે.

તેમણે કહ્યું સરકારને ભૂલ બતાવે તો તેને સુધારવાની જવાબદારી છે. કોઈને દબોચી લેવાના ન હોય. તેમણે અપિલ કરી તમામ ભારતના પત્રકારો અને એક્ટિવિસ્ટો આ કાર્યવાહી સામે અવાજ ઉઠાવે.

ઈસુદાને સોશિયલ મિડિયા પર શું લખ્યું?

ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મિડિયા હેંડલ પર લખ્યું ગુજરાત સમાચાર હંમેશા નીડર અને બેબાક અંદાજથી સત્તા સામે સવાલ ઉઠાવતું રહ્યું છે અને સરકાર પણ હંમેશા ગુજરાત સમાચાર ને એન કેમ પ્રકારે પરેશાન કરતી જ રહી છે, તેમ છતાંય ગુજરાત સમાચારે ક્યારેય તમારા અને મારા સુધી ખોટા અને ભ્રામક સમાચાર આવવા દીધા નથી..
પહેલા ગુજરાત સમાચારના અલગ અલગ સોપાનો પર IT ની રેડ પડી જે 36 કલાક સુધી ચાલી અને તે રેડ પૂરી થતા જ તરત ED ની રેડ પડી અને ત્યારબાદ ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે જે ભાજપ સરકારની કાયર માનસિકતાને છતી કરે છે.

ભાજપ સરકારના આ કૃત્યને હું સખત શબ્દોમાં વખોડું છું. આજે ભાજપ સરકારના રાજમાં ખુલ્લેઆમ લોકતંત્રના ચોથા સ્તંભને પાડવાના કાવતરા થઈ રહ્યા છે કેમ કે જે લોકો સાચું બોલે છે એ લોકો સરકાર ને પસંદ નથી.

આ પણ વાંચોઃ

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ