Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર

Gujarat Bridges Roads cost: 2023-24ના વર્ષે માર્ગ અને મકાન વિભાગના કૂલ રૂ.18368 કરોડ ખર્ચમાં પુલ અને માર્ગો માટે ગુજરાત સરકાર 14,271 કરોડનું ખર્ચ કર્યું. છેલ્લાં 10 વર્ષમાં પુલ અને માર્ગો પાછળ રૂ.1 લાખ કરોડનું ખર્ચ થયું હતું.

માર્ગ અને મકાન વિભાગના કૂલ 18 હજાર કરોડ ખર્ચમાં 70 ટકા ખર્ચ માર્ગ અને પુલ પાછળ રોકાણ કરવામાં આવે છે. પ્રજા માટે આ મૂડી ખર્ચ છે. જેનાથી મિલકત ઊભી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર જેમાં રૂ.900 કરોડ આપે છે.

2022-23માં 16 પુલ રૂ.167 કરોડના ખર્ચે સરકારે બનાવ્યા હતા. સરેરાશ રૂ.10 કરોડનો એક પુલ થયો હતો. નદીઓ પરના 37 પુલનું કામ ચાલું હતું. જેની પાછળ રૂ.1276 કરોડ ખર્ચ થઈ રહ્યું છે. નદીઓ પરના પુલ ઘણાં મોંઘા બને છે. એક પુલ સરેરાશ રૂ.35 કરોડમાં પડે છે.

2023-24માં 37 પુલ બનાવવા માટે રૂ.1275.66 કરોડનું ખર્ચ થવાનું હતું. એક પુલ પાછળ સરેરાશ રૂ.35 કરોડ ખર્ચ થાય છે. ત્યારે તેની ગુણવત્તા જળવાય એ જરૂરી છે.

114 કિ.મી.ના માર્ગોને ચાર લેનના કરવા માટે રૂ.412 કરોડ.
371 કિ.મી.ના પ્રવાસન માર્ગો માટે રૂ.644 કરોડ.
700 કિલો મીટરના માર્ગો તો ખાનગી ધોરણે બનાવી લીધા છે અથવા બની રહ્યાં છે.
775 કિલો મીટરના પુલ અને માર્ગો બનાવવા માટે રૂ.2400 કરોડની લોન વિશ્વ બેંક પાસેથી લીધી હતી.

રાજ્ય ધોરી માર્ગોને રૂ.2 હજાર કરોડ તો પુલ અને માર્ગોને મજબૂત અને પહોળા કરવામાં વાવરવામાં આવે છે. જેમાં રૂ.385 કરોડ તો પુલો બનાવવા માટે વપરાવાના હતા. એમાં, આખા રાજ્યમાં ડબૂમાં જતાં અને બેઠા પુલના સ્થાને મોટા પુલ બનાવવા માટે રૂ.50 કરોડ ખર્ચ કરવાનો હતો. જ્યારે શહેરમાં એક પુલ બનાવવા માટે રૂ.350 કરોડનું ખર્ચ થાય છે. તેની સામે નવા ઉદ્યોગો આવે તેને સારા માર્ગો આપવા માટે રૂ.95.36 કરોડનું ખર્ચ કરવાનું હતું. ભરૂચથી દહેજ સુધી ઉદ્યોગો માટે એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે રૂ.800 કરોડની જોગવાઈ કરાય છે. આમ લોકોની સુખાકારી વધારવાના બદલે ઉદ્યોગોની સવલતતા માર્ગોમાં વધારવામાં આવે છે. વરસાદના કારણે પુલ માર્ગોને નુકાસન થાય તે માટે રૂ.120 કરોડ ખર્ચવામાં આવે છે.

મોજ મજા

ફરવાના અને હવા ખાવાના માર્ગો અને પુલો માટે રૂ.944 કરોડ જેવી જંગી રકમ ખર્ચવામાં આવે છે. તેમાં બેટદ્વારકાના માર્ગ માટે ગુજરાત સરકાર 4.23 કિલો મીટરના કેબલ સ્ટેટ સીગ્નેચર પુલ પાછળ રૂ1 હજાર કરોડનું ખર્ચ કરીએ છીએ. આમ રૂ.2 હજાર કરોડના પુલ કે માર્ગો તો ફરવાના સ્થાનો માટે થવાનો હતો.

હવાખાવાના સ્થાન સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેના 218 કિલો મીટરનો રૂ.1670 કરોડનું ખર્ચ કરી રહ્યાં છીએ. 2006-07થી 2300 કિલો મીટરના રૂ.4 હજાર કરોડના 156 માર્ગો પ્રવાસી માર્ગો બનાવી રહ્યાં છીએ. જેમાં રૂ3 હજાર કરોડના 1856 કિ.મી. લંબાઈના 130 માર્ગો પૂરા થયા છે. હજુ રૂ.1100 કરોડનું ખર્ચ થવાનું છે.

ધાર્મિક સ્થાનોને જોડતા 370 કિ.મી.ના 3 માર્ગો પાછળ રૂ.1538 કરોડનું ખર્ચ ચાલુ છે. દરિયા કાંઠે હાઈવે રૂ.2500 કરોડનો બનાવી રહ્યાં છીએ. મુખ્ય મંત્રી ગ્રામ સડક અને પુલો માટે રૂ.2100 કરોડ ખર્ચ કરવામાં આવે છે. જિલ્લા અને બીજા માર્ગો પાછળ રૂ.2142 કરોડનું ખર્ચ કરીએ છીએ. જેમાં પ્રધાન મંત્રી સડક પણ આવી જાય છે. મોટા પ્રમાણમાં રાજ્ય માર્ગો પર નબળાં અને સાંકડા ગરનાળાં નાના પુલોને પહોળા કરવા માત્ર રૂ.30 કરોડ જ આપવામાં આવે છે. અમદાવાદ બામણબોર સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગને 6 લેનનો કરવા માટે 2023-24 માટે રૂ.225 કરોડનું ખર્ચ કરીએ છીએ. ટોલબુથ પર મુક્તિના બદલામાં રૂ.1081 કરોડની ચૂકવણી કંપનીઓને કરવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગને રૂ.4200 કરોડની આવક થાય છે.
માર્ગ ખાનગી કરણ માટે પણ રૂ.35 કરોડ નાણાં ફાળવવામાં આવેલા હતા. કેશુભાઈ પટેલે 1995માં ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા આર.સી.સી. રોડ બનાવવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી ગ્રામ સડક

2023-24ના અંદાજપત્રમાં ગ્રામીણ રસ્તાઓ – પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 250 આદિવાસી લોકોની અને 500 બિન આદિવાસી રહેઠાણ સુધી માર્ગો બનાવવા યોજના હતી. ભારત સરકારે માર્ચ-2019 સુધીમાં, 3,069 આવાસ વસાહતો જોડાણ માટે પ્રથમ વખત મંજૂરી આપવામાં આવી હતી. રૂ.609 કરોડના 1181 અને 109 રસ્તાના તમામ કામો પૂર્ણ થઈ ગયા હતા.

વર્ષ 2020-21માં, ભારત સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.1,749.62 કરોડના ખર્ચે 3.75 મીટરથી 5.50 મીટર પહોળાઈના 3,015 કિમીની લંબાઇના 304 ગ્રામીણ રસ્તાઓને પહોળાં કરવાની મંજૂરી આપી હતી. જેમાં 2022-23 સુધીમાં 304 કામોમાંથી 1824.02 કિમીના 154 રસ્તા બની ગયા હતા. 135 માર્ગો બની રહ્યાં હતા. બાકીના 15 કામો ઠેકો આપવાના તબક્કામાં હતા.

2018માં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રૂ.8 હજાર કરોડના પુલ, રસ્તા, રેલ્વે, ટ્રાફીક પાછળ ખર્ચ થતું હતું. દેશમાં રોજના ૮૮ કિ.મી.ના હાઇવે તથા ૧૩૪ કિ.મી.ના ગામડાના રસ્તા રોજ બનતા હોવાના ત્યારે દાવા કરાયા હતા. રોજના 222 કિ.મી.ના રસ્તા બન્યા હોય તો 2023માં તેની સંખ્યા સારી હોવી જોઈએ. 2015માં રાજય સરકારે 10 હજાર કરોડ શહેરી સેન્‍ટર અને શહેરી પ્રમોટ માટે ફાળવ્‍યા હતા.

નીતિન ગડકરી – દેશમાં નબળા પુલ

2017માં કેન્દ્રીય માર્ગ પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે, દેશમાં 100 પુલ ત્યારે તૂટી પડવાનું જોખમ છે. ત્વરીત સમારકામ કરવું પડશે. ધોરીમાર્ગ સેફટી હેઠલ 1 લાખ 6 હજાર પુલ સલામત હોવાનું જાહેર કર્યું હતું. 3 લાખ 85 હજાર કરોડના રોડ યોજના મોડા પડયા હતા.
પેંગોંગ સરોવર પર ચીન દ્વારા પુલના નિર્માણ કરાતું હતું તે અંગે કંઈ કહ્યું ન હતું.

ગુજરાતના પુલોનું ખર્ચ અને આયોજન

2019માં સરકારે જાહેર કર્યું હતું કે, રૂ.487 કરોડ ના ખર્ચે રાજ્યમાં નવા 10 આકાશી પુલ બનશે.
(1) આણંદ કરમસદ ધોરીમાર્ગ ઉપર બોરસદ ખાતે રૂ.4૫ કરોડના ખર્ચે,
(2) સિધ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.3૫ કરોડના ખર્ચે,
(3) પાટણના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.27 કરોડના ખર્ચે,
(4) ભુજ-લખપત રોડ ઉપર રૂ.36 કરોડ ના ખર્ચે બે આકાશી પુલ
(૫) મહેસાણા ના મોઢેરાના ચાર રસ્તા ઉપર રૂ.11૦ કરોડના ખર્ચે,
(6) સુરત-કડોદરા રોડ ઉપર કડોદરા જંકશન ખાતે રૂ.11૦ કરોડના ખર્ચે,
(7) સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર રોડ પરના માધાપર જંકશન પર રૂ.6૦ કરોડના ખર્ચે,
(8) ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર ધોળાકુવા ખાતે રક્ષા શક્તિ સર્કલ ઉપર રૂ.૫૦ કરોડ ના ખર્ચે
(9) ગાંધીધામ ટાકોર રોડ ઉપર રૂ.17 કરોડના ખર્ચે આકાશી પુલ બનાવવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 3400 કરોડના ખર્ચે રાજ્યના રેલવે ફાટકો ઉપર 67 ઓવર પુલ બનાવવામાં આવશે.ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત રાજ્ય બની જશે. જે સમગ્ર દેશમાં ફાટક મુક્ત પ્રથમ રાજ્ય હશે.

માર્ગ અને મકાન વિભાગના પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેના કારણે આ શક્ય બન્યું છે.

2019માં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ

શહેરી વિકાસ અને ગૃહનિર્માણ માટે 13,149 કરોડની ફાળવણી છે. શહેરી વિકાસ યોજના માટે 4794 કરોડની જોગવાઈ પ્રધાનપ્રધાન આવાસ યોજના માટે 1248 કરોડ 250 કરોડના ખર્ચે મહાનગરોમાં 54 અને રાજ્યના નગરપાલિકામાં 21, કુલ 75 આકાશી પુલ બનાવાની યોજના અમદાવાદ મેટ્રો માટે રાજ્ય સરકારે બજેટમાં ફાળવ્યા 510 કરોડ ગાંધીનગર-અમદાવાદના ફેઝ-2 માટે 50 કરોડની ફાળવણી રાજ્યના 6 શહેરોના સ્માર્ટ સિટી યોજના માટે 580 કરોડની જોગવાઈ છે.

કેન્દ્ર સરકારના નાણાં

2023-24ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં રૂપિયા 3192 કરોડના રાષ્ટ્રીય ધોરી માર્ગની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં રૂપિયા 50 હજાર કરોડના 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના પૂર્ણ થયા હતા. દયપુર-નરોડા માર્ગમાં 87 પદયાત્રી ગરનાળા, વાહનોના ગરનાળા, વાહનોના ઓવરપાસ, પશુ ગરનાળા અને રોડ આકાશી પુલ બનાવવામાં આવ્યા છે. જે ગુજરાતનું સૌથી મોટું કામ છે. તેની પાછળ રૂ.1400 કરોડનું ખર્ચ કરાયું છે.

2023માં કેન્દ્ર સરકાર રાજ્યમાં રસ્તાઓ, પુલ અને લોજિસ્ટિક્સ પાર્કના નિર્માણ માટે ગુજરાતને વધારાના રૂ. 12,600 કરોડ ફાળવશે. આ ભંડોળમાં રાજ્યમાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્કના વિકાસ માટે રૂ. 6,000 કરોડ અને રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો સિવાયના રસ્તાઓ પર રોડ ઓવર પુલ અથવા રોડ અન્ડર પુલીસના નિર્માણ માટે રૂ. 1,000 કરોડનો સમાવેશ થશે.

વાર્ષિક યોજના હેઠળ, અમે ગુજરાતને વધારાના રૂ. 2,600 કરોડનું ભંડોળ પૂરું પાડીશું. રાજ્યના ધોરીમાર્ગો, જિલ્લા માર્ગો અને પાલિકા વિસ્તારોની અંદરના રસ્તાઓના નિર્માણ માટે અન્ય રૂ. 3,000 કરોડ ફાળવવામાં આવશે. સેતુ બંધન યોજના હેઠળ, અમે રૂ. 1,000 પ્રદાન કરીશું. રાજ્યના રસ્તાઓ પર ROB અને RUB બનાવવા માટે 6,000 કરોડ, પ્રધાનએ કહ્યું. કુલ મળીને અમે ગુજરાતને 12,600 કરોડ રૂપિયા આપીશું. મેં બુધવારે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને આ વાત કહી હતી. તેમ નીતિન ગડકરીએ 19 જાન્યુઆરી 2023માં જાહેર કર્યું હતું.

માર્ગ મકાન

માર્ગ અને મકાન માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.10,058 કરોડની જોગવાઈ આંતરમાળખાકિય સુવિધાઓ, રસ્તા અને પુલ બનાવવા રૂ.1439 કરોડની જોગવાઈ. 807 kmના રાજ્ય ધોરીમાર્ગોને દ્વિમાર્ગી કરવા રૂ.209 કરોડની જોગવાઈ અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિ.મી. રસ્તાને રૂ.2,893 કરોડના ખર્ચે છ-માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ. સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગને રૂ.867 કરોડના ખર્ચે છ માર્ગી કરવાની પ્રગતિમાં વલ્લભીપુર-ભાવનગર રસ્તાનું ચાર માર્ગીયકરણ કરવા રૂ.207 કરોડની જોગવાઈ સુરત-કડોદરા રોડ પર કડોદરા પાસે રાષ્ટ્રીય ધોરમીર્ગના જંકશન પર અંડર પુલ બનાવવા રૂ.110 કરોડની જોગવાઈ રેલવે ફાટકો પર અંદાજે રૂ.6,500 કરોડના ખર્ચે રેલવે આકાશી પુલના કામોની જાહેરાત મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર રસ્તા સહિતના કામો માટે રૂ.304 કરોડની જોગવાઈ અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડીની સુવિધા માટે રૂ.6 કરોડની જોગવાઈ અમદાવાદ-ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના સરકારી આવાસોનું બાંધકામ કરવા રૂ.150 કરોડની જોગવાઈ ગાંધીનગર ખાતે છ ટાઈપના 560 સરકારી આવાસોના 20 ટાવરના બાંધકામ માટે રૂ.44 કરોડની જોગવાઈ.

2020માં

મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં 7પ જેટલા આકાશી પુલ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં 23 આકાશી પુલની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યમાં શહેરી ક્ષેત્રોમાં જનસુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમ અપનાવતાં 6 મહાપાલિકા અને 7 નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ.1887.73 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ નગરો-મહાનગરોમાં આકાશી પુલ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમજ આગવી ઓળખના કામો, રેલ્વે અંડરપુલના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે. હેતુસર રાજકોટ મહાનગરમાં પાંચ આકાશી પુલના નિર્માણ માટે રૂ.23૦ કરોડના કામો મંજૂર કર્યા છે. તદ્દઅનુસાર, રાજકોટમાં 1પ૦ ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી આકાશી પુલ, 150 ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી આકાશી પુલ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે આકાશી પુલ તેમજ ગ્રીન લેન્ડ ચોકડી આકાશી પુલ અને 150  ફૂટ રીંગ રોડ ઉમિયા ચોક પાસે આકાશી પુલનું નિર્માણ થશે.

રાજકોટમાં આ આકાશી પુલને પરિણામે સ્માર્ટ સિટી રાજકોટમાં માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે અને નાગરિકોના સમય તથા ઇંધણની પણ બચત થશે.

એ ડીસા નગરમાં 1 આકાશી પુલ માટે રૂ.પ૦ કરોડ તથા પાલનપુરમાં પણ એક આકાશી પુલ માટે રૂ.ર૮ કરોડના કામોની મંજૂરી આપી છે. શહેરી વિકાસ-શહેરી સુખાકારીના સર્વગ્રાહી અભિગમથી જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસકામો માટે રૂ.500.2૦ કરોડ, સુરતમાં રૂ.479.83  કરોડ તેમજ વડોદરામાં રૂ.179.28 કરોડ અને રાજકોટમાં રૂ.144.54 કરોડ તથા જામનગર મહાપાલિકાને રૂ.65.50  કરોડનો સમાવેશ થાય છે.

આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ગટર લાઇન, સ્ટ્રોમ વોટર ગટર, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, એમ.આર.આઇ મશીન વગેરેની ખરીદી, શહેરી હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટિલેવલ પાર્કીંગ, શાક માર્કેટ અને સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે.
વડોદરા મહાનગરમાં રસ્તાના કામો માટે રૂ.3પ કરોડ, રાજકોટમાં રૂ.રપ કરોડ, જામનગરમાં રૂ. 5.08  કરોડ અને જુનાગઢ મહાનગરમાં રૂ.6 કરોડ એમ કુલ રૂ.71.08 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

તેમણે રાજકોટ મહાનગરમાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ.રપ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે રૂ.3 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિદ્ધપુર નગરપાલિકાને રૂ.7પ લાખ, કડી નગરપાલિકાને રૂ.ર1 લાખ અને ગોધરા નગરપાલિકાને રૂ.48 લાખ મળી કુલ રૂ.1.44 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
તેમણે તળાજા નગરપાલિકાની કચેરીના નવા મકાન માટે રૂ.1 કરોડ તથા ગોધરા નગરપાલિકાને રેલ્વે અંડરપુલ માટે રૂ.૯ કરોડ, ૮6 લાખ ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.

હવે રાજકોટ મહાનગરમાં પાંચ નવા આકાશી પુલ અને ડીસા તથા પાલનપુર એક-એક આકાશી પુલ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફિક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.

દેશમાં 7 કરોડ ચાર પૈંડાના વાહનો અને 21 કરોડ દ્વીચક્રી વાહનો છે. જેમાં ગુજરાતનું સ્થાન ચોથું છે. રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35.39 મિલિયન (12%) નોંધાયેલા વાહનો છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 32.71 મિલિયન (11.1%), તમિલનાડુ 30.18 મિલિયન (10.2%), ગુજરાતમાં 25.2 મિલિયન (8.5%) છે અને કર્ણાટક ચાર્ટ 21.07 મિલિયન (7.1%) છે. આ ટોચના પાંચ રાજ્યો 31 માર્ચ, 2019 સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ વાહનોમાં લગભગ 49% હિસ્સો ધરાવે છે. દેશના કુલ ટ્રાન્સપોર્ટ વાહનોમાં મહારાષ્ટ્રમાં 12 ટકા પછી ગુજરાત 8 ટકા સાથે બીજા નંબર પર છે.

વાહનો

ગુજરાતમાં 2 કરોડ 40 લાખ વાહનો 2017-18માં હતા જે 2018-19માં 2 કરોડ 52 લાખ થયા હતા. દેશની સરખામણીએ 8.74 ટકાનો હિસ્સો ઘટીને 8.52 ટકા થઈ ગયો હતો. તેનો સીધો મતલબ કે વાહનો વધે છે પણ દેશની સરખામણીએ વાહનો વર્ષે વર્ષે ઓછા થઈ રહ્યાં હતા. આવું કેમ, માર્ગોને લીધે કે બીજું કોઈ કારણ હતું.

બીજા રાજ્યોની પ્રગતિ ગુજરાત કરતાં વધારે છે. તે માટે ખરાબ પુલ અને ખરાબ માર્ગો જવાબદાર હોવાનું ગણી શકાય. દેશના લોકોની સરખામણીએ લોકો હવે ઓછા વાહનો ખરીદવા લાગ્યા છે. જે બતાવે છે કે, પ્રજાની પડતી થઈ રહી છે. દેશમાં રોજ 53 હજાર નવા વાહનોનું વેચાણ થાય છે.

દેશમાં 20 કરોડ લોકો પાસે વાહન ચલાવવાનો પરવાનો છે. જેમાં 1 કરોડ 20 લાખ મહિલાઓ છે. ગુજરાતમાં મહિલા વાહન ચાલક પરવાનાની વિગતો સરકાર રાખતી નથી. બીજા તમામ રાજ્યો અલગ રાખે છે. અલગ રાખવાની જરૂર છે.

ગુજરાતમાં વાહનો

રાજ્યમાં 1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી, જે 10 વર્ષમાં એટલે કે 1990માં વધીને 18.40 લાખ થયા હતા. 2021-22ના અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ વાહનો 2 કરોડ 90 લાખ હતી. જેમાં દ્વિચક્રી વાહનો 2 કરોડ 10 લાખ 40 હજાર હતી. 1989-90માં મોટર કાર માત્ર 1 લાખ 41 હજાર હતી. 2020-21માં 36 લાખ 54 હજાર હતી તે વધીને 2021-22માં 39 લાખ 14 હજાર થઇ હતી. રહ્યો છે. ર્કેટમાં હવે ગિયર વગરના વાહનો સસ્તાં થતાં દ્વિચક્રી વાહનો 2 કરોડ 2 લાખથી વધીને 2023માં 2 કરોડ 10 લાખ થઇ હતી. 1961ની સાલમાં 8132 ટુ-વ્હિલર હતા.

ઓટોરિક્ષાની સંખ્યા 9,10,493 થી વધીને 9,30,824 થઇ છે. ભારે વાહનો 13 લાખ 74 હજાર થઇ હતી. પેટ્રોલ, ડીઝલ અને ગેસમાં ભાવ વધતાં મોટર સાઈકલની ખપત વધી. દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે દ્નિચક્રી વાહન છે. 1 લાખ 3 હજાર ટેક્સીકેબ અને 12257 એમ્બ્યુલન્સ છે. 2022માંવાહનોની સંખ્યા 2.77 કરોડ હતી તે 2023માં વધીને 2.89 કરોડ થઇ. આમ એક વર્ષમાં રાજ્યમાં 12.48 લાખ વાહનો વધી ગયા. 2023ના અંત સુધીમાં 3 કરોડ વાહનો થઈ જશે.

વર્ષ વાહનોની સંખ્યા (કરોડમાં)
2017-18 – 2.38
2018-19 – 2.52
2019-20 – 2.67
2020-21 – 2.77
2021-22 – 2.89
આ બધા વાહનો માટે સારા માર્ગો અને સારા પુલ જોઈશે. જો ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો તો માર્ગો અને પુલ પર અકસ્માત વધશે, તેથી ઘાયલની સ્ખ્યા અને મોત વધશે.

ઈલેક્ટ્રિક ધોરીમાર્ગ

લાંબાંગાળે દેશના 12 રાજ્યોમાં 23 શહેરોને જોડતો 5500 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રિક ધોરીમાર્ગ બનાવવાનો પ્લાન તૈયાર થયો છે. ત્યારે ગુજરાતે પણ આવો ધોરીમાર્ગ બનાવવો જોઈએ. આવા માર્ગો પર સમતલ હોવા જોઈએ.

ટોલ નાકા

ધોરીમાર્ગ પરના ટોલ ટેક્સની વસૂલાત 2021માં રૂ. 81 હજાર કરોડ થઈ હતી. 2023માં રૂ.1 લાખ કરોડ સુધી પહોંચી જવાની છે. વર્ષ 2018-19માં 25 હજાર કરોડ રૂપિયા, 2019-20માં 27 હજાર કરોડ રૂપિયા અને 2020-21માં 28 હજાર કરોડ રૂપિયાનો ટોલ વસૂલાત કર્યો હતો. હવે સીધો 1 લાખ કરોડ થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં દેશમાં 727 ટોલ પ્લાઝા છે. 1 એપ્રિલ, 2022થી NHAI એ ટોલ ટેક્સ 10 રૂપિયાથી વધારીને 65 રૂપિયા કર્યો હતો. ફેબ્રુઆરી 2021 થી ટોલ કલેક્શન માટે ફાસ્ટટેગ ફરજિયાત કર્યુ ત્યારથી આવક વધવા લાગી હતી. ગુજરાતમાં 32 ટોલનાકા પરથી રૂ.10 હજાર કરોડ ટોલ વેરો ઉઘરાવવામાં આવતો હશે. એક વાહ 15 હજાર રૂપિયા વેરો ભરે છે. 60 કિલોમીટરના અંતરે બે ટોલ મથક ન હોવા જોઈએ. પણ ગુજરાતમાં છે. ધોરીમાર્ગ બનાવવાનું ખર્ચ તો સરકાર ટોલ નાકાવની આવકથી જ કાઢી રહી છે.

 

આ પણ વાંચોઃ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

 

 

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 17 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 19 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 21 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 13 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ