
- મહાકુંભથી પરત આવી રહેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરોડો ભક્તોએ સંગમાં પ્રવિત્ર ડૂબકી લગાવી છે. જો કે આ વચ્ચે અકસ્માતોના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ વચ્ચે એક વખત ફરીથી પ્રયાગરાજથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હીં ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો.
કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકો ગુજરાતી લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે. એક ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.
આ પણ વાંચો- વાયપરથી ક્રિકેટ ગ્રાઉન્ડ કોણ સાફ કરે યાર? જો કે પાકિસ્તાનીઓ કરી રહ્યા છે- જોઈ લો વીડિયો
અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.