કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

  • કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

કંડલા-મુંદ્રા પોર્ટ પરથી પૈસાની બ્લેકમનીના હેરાફેરીનો મસમોટું હવાલા કૌભાંડ ઝડપાયું છે. ચીજ-વસ્તુની વધારે કિંમત કરીને પૈસા વિદેશમાં મોકલવાનો અત્યાર સુધીનું સૌથી મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કૌભાંડનો ખુલાસો કર્યો છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર રેડ પાડતા 21 હજાર રૂપિયાના કાળા નાણા ભારત બહાર મોકલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં અનેક ક્લાસ વન અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે. આ રેડ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમને રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર પૈસા કયા દેશ મોકલવામાં આવી રહ્યા હતા? તે પ્રશ્નનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દેશમાંથી બ્લેકમની સ્વિસ બેંક કે વિદેશમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોઈ શકે છે.

આ સમગ્ર કેસમાં DRIએ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશ કુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ કેસમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

આ અંગે ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ‘મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેક મની ભારત બહાર મોકલી દેવામાં આવ્યા હતા. 2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું.

21 હજાર કરોડ રૂપિયાનું બ્લેક મની ભારત બહાર ગયું હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓને કોઈ જાણ પણ થઈ નથી અને તમામ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. હાલ ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્લાસ વન અધિકારીઓ આઈઆરએસ અધિકારીઓ જે તે વખતના કસ્ટમના કમિશનર એડિશનલ કમિશનરની સામે પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

21 હજાર કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં આઇઆરએસ અધિકારીઓ મોટી સંખ્યામાં લાંચની રકમ લઈને ભારત બહાર બ્લેક બની મોકલવામાં મદદગારી કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ડી.આર.આઈ ની તપાસ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ