કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

  • કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

કંડલા-મુંદ્રા પોર્ટ પરથી પૈસાની બ્લેકમનીના હેરાફેરીનો મસમોટું હવાલા કૌભાંડ ઝડપાયું છે. ચીજ-વસ્તુની વધારે કિંમત કરીને પૈસા વિદેશમાં મોકલવાનો અત્યાર સુધીનું સૌથી મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કૌભાંડનો ખુલાસો કર્યો છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર રેડ પાડતા 21 હજાર રૂપિયાના કાળા નાણા ભારત બહાર મોકલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં અનેક ક્લાસ વન અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે. આ રેડ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમને રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર પૈસા કયા દેશ મોકલવામાં આવી રહ્યા હતા? તે પ્રશ્નનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દેશમાંથી બ્લેકમની સ્વિસ બેંક કે વિદેશમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોઈ શકે છે.

આ સમગ્ર કેસમાં DRIએ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશ કુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ કેસમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

આ અંગે ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ‘મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેક મની ભારત બહાર મોકલી દેવામાં આવ્યા હતા. 2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું.

21 હજાર કરોડ રૂપિયાનું બ્લેક મની ભારત બહાર ગયું હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓને કોઈ જાણ પણ થઈ નથી અને તમામ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. હાલ ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્લાસ વન અધિકારીઓ આઈઆરએસ અધિકારીઓ જે તે વખતના કસ્ટમના કમિશનર એડિશનલ કમિશનરની સામે પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

21 હજાર કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં આઇઆરએસ અધિકારીઓ મોટી સંખ્યામાં લાંચની રકમ લઈને ભારત બહાર બ્લેક બની મોકલવામાં મદદગારી કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ડી.આર.આઈ ની તપાસ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 8 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 5 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 13 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!