
- મોદીની 23 વર્ષ પહેલાની સૌથી પહેલી ઉદ્ધત વર્તન સાથેની પત્રકાર પરિષદ કેવી હતી?
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તેની પ્રથમ પત્રકાર પરીષદના કેટલાક અંશો અંગે ગુજરાત રિપોર્ટના સીનિયર પત્રકાર દિલીપ પટેલ ચર્ચા કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, પીએમ મોદી ઉપર પત્રકાર પરિષદ ન યોજવાના અનેક આરોપો લાગતા રહ્યાં છે. જોવા જઈએ તો તે આરોપો યોગ્ય પણ દેખાઈ રહ્યાં છે. કેમ કે વડાપ્રધાન બન્યા પછી પણ તેમના દ્વારા એકપણ પત્રકાર પરિષદ યોજવામાં આવી નથી. તેઓ પોતાના નજીકના ગણાતા પત્રકારોને ઈન્ટરવ્યું આપતા રહે છે પરંતુ દેશની સમસ્યાઓને લઈને ઉભા થતાં પ્રશ્નોને લઈને અત્યાર સુધી એકપણ પત્રકાર પરિષદ યોજીને તેના જવાબ આપી શક્યા નથી.
આ વચ્ચે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા અને તેમણે જ્યારે પોતાની પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી, તે કેવી હતી તેના વિશે વિસ્તારપૂર્વક તમે વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ એ પત્રકાર પરિષદમાં પત્રકારોએ એવા પ્રશ્ન પૂછ્યા હતા કે તેનો ડર અત્યાર સુધી નરેન્દ્ર મોદીના મનમાંથી નિકળ્યો નહોય તેવું દેખાઈ રહ્યું છે. તેથી કદાચ તેઓ બીજી વખત પત્રકાર પરિષદ યોજવાની હિંમત કરી શક્યા નથી.