
મહેશ ઓડ
Bachu Khabad Speak on Dahod MGNREGA Scam: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ત્યારથી ભાજપા મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા હતા. જોકે તેમને સંપર્કવિહોણા થવાનું મોટું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે હું મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું. ત્યારે શું કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી છે?, સજ્જન મંત્રી બચુ ખાબડ આપણા વડાપ્રધાન નરેદ્ર મોદીના કાર્યક્રમની ગોઠવણમાં વ્યસ્ત છે. ત્યારે આપણે બચુ ખાબડના બે પુત્રો પર ભ્રષ્ટાચારની આંગળી ચિંધીએ એ કેટલું યોગ્ય કહેવાય? તેમના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે 71 કરોડ રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો એ ‘સોરી’ આખી વાત અલગ છે. તે તેમનો અંગત મામલો હોઈ શકે?, તેમના સામે પોલીસ કાર્યવાહી થઈ રહી છે. જો કે તેમ છતાં કોંગ્રેસ બચુ ખાબડને કોંગ્રેસનું રાજીનામુ માગી રહી છે.
બચુ ખાબડે કોંગ્રેસને કહ્યું કે, ‘તમારી પાસે કોઈ મુદ્દો નથી તેથી ખોટા આરોપો લગાવો છો, અને મારા બંને પુત્રો નિર્દોષ છે. બંને દીકરાની માત્ર સપ્લાઇ એજન્સી છે અને તેઓ તપાસમાં સહકાર આપશે. હું કોઈ ભાગેડું ધારાસભ્ય કે મંત્રી નથી હું પ્રજાની વચ્ચે જ છું હું PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરવાની વ્યવસ્થા કરી રહ્યો છું’
અત્યારે આપણે બચુભાઈને સહકાર આપવો જોઈએ?
જુઓ તો!, મંત્રી બચુ ખાબડ કેટલું સાચુ બોલી રહ્યા છે?, કે હું મોદીના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરી રહ્યો છું. બિચારા બચુ ખાબડના એકલા માથે સંખ્યા ભેગી કરવાનું કામ છે અને આપણે તેમને સવાલ કરીએ! કેટલું ખોટું લાગે? આપણે તેમને સંખ્યા ભેગી કરવામાં મદદ કરવી જોઈએ, ભ્રષ્ટાચાર અંગે સવાલ ન પૂછવા જોઈએ!. એ તો PM મોદીનો કાર્યક્રમ પછી પૂછીએ તો પણ ચાલે. અત્યાર સહકાર આપવો જોઈએ.
દેશના વડાપ્રધાનના કાર્યક્રમની વ્યવસ્થા સિવાય બીજું કયું મોટું કામ હોઈ શકે?
બચુ ખાબડ એક પિતા તરીકે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વસ્ત છે, તો તેમનાથી મહાન નેતા કોણ હોઈ શકે? બચુ ખાબડ પોતાના બે પુત્રની ચિંતા છોડી દેશના વડાપ્રધાનના કાર્યક્રમની ચિંતા કરી રહ્યા છે તેમના જેવું બીજું કોઈ હોઈ શકે ખરુ? આવા મંત્રી લોકોને ભાગ્યે જ મળે. જે પોતાના પરિવાર, પુત્રોની ચિંતા કર્યા વગર વડાપ્રધાનના કાર્યક્રમની તમામ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહે. એટલું જ નહીં તેમના પુત્રોની ધરપડ થઈ છે તેમ છતાં તેઓ વડાપ્રધાનાની તૈયારીઓ કરવામાંથી ડગ્યા નથી તેવું તેમના હુંકાર પરથી લાગે છે. આથી મોટું કાર્ય બીજું કયું હોઈ શકે? કોંગ્રેસ જેવા પક્ષ તેમને પ્રશ્નો પૂછવા આવી જાય છે, જો કે તે નથી જોતાં કે પુત્રોના ભ્રષ્ટાચારને એક બાજુ મૂકી મોદીના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે?, કોંગ્રેસને મોદીના કાર્યક્રમની તૈયારી સારી લાગતી નથી?, તેમને બસ ભ્રષ્ટાચાર જ દેખાઈ છે? બચુ ખાબડ સજ્જન પિતા તરીકે કંઈ કર્યું નથી. પુત્રોના કાળા કારનામા કર્યા હોય તો બિચાર તેમાં પિતા પણ શું કરી શકે?
‘નિર્દોષ બચુ ખાબડને બે પુત્રોના ભ્રષ્ટાચારના તેમના ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે, તે આખી અલગ વાત છે. બચુ ખાબડને નરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં શું વાંક? બે પુત્રનું નામ આવ્યું છે તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેવુ કરે તેવું ભરે તેવી એક પિતા તરીકેની ધારણા હશે! એટલે જ તે બે પુત્રની ચિંતા કર્યા વગર મોદીના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે, અને બચુ ખાબડના રાજીનામની માંગ કોંગ્રેસ કરે તો કરવા દો તેમને બોલવાની આટલી તો સ્વતંત્રા હોવી જોઈએ ને?
આ પણ વાંચો
UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan
Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા
Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
પતિ નેતાઓ પાસે છોકરીઓ મોકલે છે, મને સાથે સૂવા દબણા કરે છે: DMK નેતાની પત્નીનો આરોપો
ગુજરાત ATS એ નડિયાદમાંથી બે શંકાસ્પદ સાયબર આતંકીઓ પકડ્યા
પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal
વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?
અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani