
India Big Attack On Pakistan:ભારતે પાકિસ્તાનના ઘમંડને ચકનાચૂર કરી નાખ્યું છે. ગઈકાલે રાત્રે ભારતે 50 થી વધુ પાકિસ્તાની ડ્રોન અને 30 મિસાઇલો તોડી પાડી હતી. ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર વિવિધ સ્થળોએ સ્વોર્મ ડ્રોન મોકલવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, ત્યારે ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ સેક્ટરમાં ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમો દ્વારા એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માં L-70 તોપો, ZU-23 mm, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય ઉચ્ચ-સ્તરીય કાઉન્ટર-UAS સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હવાઈ ખતરોનો સામનો કરવાની સેનાની મજબૂત ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો
ભારતીય વાયુસેનાએ શ્રીનગરથી ગુજરાત સુધીની સરહદ પર હવાઈ સંરક્ષણ પ્રણાલીના બબ્લસ બનાવ્યા છે. હવાઈ સંરક્ષણમાં લાંબા અંતરની અને ટૂંકા અંતરની મિસાઇલોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મિસાઇલો, ડ્રોન અને સ્વિમ ડ્રોનને રડાર અને અન્ય સાધનો દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને પછી આકાશ, એમઆર એસએએમ અને અન્ય જેવા “હીટ સીકિંગ અને રડાર ગાઇડેડ મિસાઇલો” હવાઈ સંરક્ષણ બંદૂકો સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા.
#WATCH | A complete blackout has been enforced after siren sound heard in Poonch, J&K
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/YDGwbAbsGU
— ANI (@ANI) May 8, 2025
ભારત-પાકિસ્તાન તણાવ ક્યાંથી શરૂ થયો?
22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ પુરુષોને નિશાન બનાવ્યા અને તેમની પત્નીઓને કહ્યું કે તેઓ મોદીને જણાવે. આ આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાયો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને તેમના કાર્યો માટે ચોક્કસ સજા મળશે. આ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં મોટી કાર્યવાહી કરી. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળોએ સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતના આતંકવાદીઓ સામેના આ હુમલાથી પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની સેનાએ LoC પર પણ ગોળીબાર કર્યો. જોકે, ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને તેનું ગૌરવ તોડી નાખ્યું. ગઈકાલે રાત્રે ભારતે 50 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હતા તેમજ 30 પાકિસ્તાની મિસાઈલોને પણ તોડી પાડવામા આવી હતી. આ સાથે સેનાએ પાકિસ્તાની ફાઇટર જેટ F-16 ને પણ તોડી પાડ્યું હતું આમ ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરમાં છે અને પાકિસ્તાની મીડિયા પણ ભારતની કાર્યવાહીને સ્વીકારી રહ્યું છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ