KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

  • Gujarat
  • February 12, 2025
  • 3 Comments

Kheda  News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં  દારુ પીધા બાદ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસનું કહેવું છે કે સોડા પીવાથી મોત થયા. જ્યારે પરિવારનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ ત્રણેય લોકોના મોત થયા છે. ત્યારે સચ્ચાઈ શું છે તે હજું સુધી બહાર આવી નથી. જેથી ખેડા પોલીસ શંકાના દાયરામાં આવી છે.

બે દિવસ અગાઉ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં  ત્રણ લોકોના મોત થયા હતા. મોતના બે દિવસ બાદ પણ પોલીસ મોતનું કારણ છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હવે પીએમ અને વિસેરાના રિપોર્ટને આગળ ધરી લઠ્ઠાકાંડ પરથી પડદો પાડવાની કોશિશ કરી રહી છે. જો કે સવાલો થઈ રહ્યા છે આ ત્રણ લોકોએ એવું તે કયું કેમિકલ પીધું કે તેમના મોત થયા? તેનું ચોક્કસ કારણ પોલીસ પણ જણાવી શકી નથી.  પોલીસ કહે છે સોડા પીધા બાદ મોત થયા. જ્યારે પરિવારના લોકોનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ મોત થયા છે. જેથી ખેડા જીલ્લા પોલીસ સામે શંકાની સોય ઉભી થઈ છે.

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતાં કનુ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહાના દેશી દારુ પીધા બાદ રહસમ્ય સંજોગોમાં મોત થયા છે. પોલીસ વડા રાજેશ ગઠિયાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ( હ્રદય અને ફેફસા બંધ થવા)થી ત્રણેય લોકોના મોત થયાનું રટણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થસે. જો કે પોલીસ ગોળગોળ જવાબથી પોલીસ શંકાના ઘેરામાં આવી છે. હાલ આ મામલાની તપાસ એલસીબી શાખાના પોલીસ ઈસ્પેક્ટર કરી રહ્યા છે.

પોલીસે કહ્યું છે કે નડિયાદ સિવિલ હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી કરાવી હતી. જેમાં દારુ પીવાથી મોત થયું નથી. તેવું તારણ બહાર આવ્યું નથી. બ્લડ રિપોર્ટમાં જણવા મળ્યું હતુ કે મિથેનોલ મળી આવ્યુ નથી. ત્યારે સવાલ થાય છે કે દારુ પીધાની જ ચકાસણી કેમ થઈ? બીજા કયા કેમિકલના તત્વો છે, તેની તપાસ કરાઈ નથી.

 

ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરના અનેક ઠેકાણે દારુના અડ્ડાઓ ધમધમે છે. છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ થયા છે. જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે પોલીસ જાગે છે. આ અગાઉ પણ સિરપ કાંડમાં પણ 6થી વધુ લોકોના મોત થયા હતા.

લઠ્ઠો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાય છે

લઠ્ઠો મુખ્યત્વે દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવતો હોય છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે. ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસસ ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે બુટલેગરો તેમાં મિથેનોલનો ઉપયોગ કરતાં હોય છે.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: માઘી પૂર્ણિમાના અમૃત સ્નાન માટે ભારે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું

આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

 

 

  • Related Posts

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading
    SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
    • January 30, 2026

    SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    • February 3, 2026
    • 3 views
    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    • February 2, 2026
    • 4 views
    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 4 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 7 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    • February 2, 2026
    • 6 views
    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    • February 2, 2026
    • 4 views
    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો