
ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
તલવારના ઘા મારી હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં દુર્ગાપુર રોડ પર આજે વહેલી સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ લોકોમાં ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે આ ઘટના બનતાં પોલીસની કામગીરી પર સવલો ઉભા થયા છે.
હત્યાનું રહસ્ય ઘેરાયું
તપાસમાં હત્યાનું કારણ હજુ જાણી શકાય નથી. પોલીસે અજાણ્યા ઈસમોસામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી પશ્વિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કથળતાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.