અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ, અવર-જવર ક્યાથી કરશો?

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ બંધ રહેવા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજ તોડીને નવો બનાવાશે. 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.

રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

હવે સારંગપુર બ્રિજ બંધ થતાં લોકોની અવર-જવર માટે રસ્તાને ડાયવર્ટ કરાયો છે. રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

વૈકલ્પિક માર્ગો

1) ગીતા મંદિર,ગાંધી રોડ,ખાડીયા તથા શહેર તરફથી આવતા વાહનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

    2) ગીતા મંદિર તથા શહેર તરફથી આવતા વાહનો જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે, તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.

    3) રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ જવા રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

    4) રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રીજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.





      Related Posts

      Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો
      • May 1, 2026

      Gujarat Foundation Day: ગુજરાત રાજ્યની સ્થાપનાને આજે સાડા છ દાયકા પૂર્ણ થયા છે, ત્યારે ‘ગુજરાતની અસ્મિતા’ ક્યાં આવીને ઊભી છે તે વિચારવું અનિવાર્ય છે. રવિશંકર મહારાજના ‘ઘસાઈને ઊજળા થઈએ’ ના…

      Continue reading
      Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
      • May 1, 2026

      Savarkundla Murder Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં કાયદો હાથમાં લઈને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતો…

      Continue reading

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You Missed

      Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

      • May 1, 2026
      • 5 views
      Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

      Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

      • May 1, 2026
      • 8 views
      Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

      Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

      • May 1, 2026
      • 7 views
      Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

      World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

      • May 1, 2026
      • 9 views
      World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

      Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

      • May 1, 2026
      • 10 views
      Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

      Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

      • May 1, 2026
      • 10 views
      Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું