
Earthquake: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં સેંકડો લોકો ઇમારતોમાંથી બહાર નીકળી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું કે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મંડલે શહેરની નજીક 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું. મ્યાનમાર વિશ્વના સૌથી વધુ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય પ્રદેશોમાંનો એક છે.
Heartfelt prayers and solidarity with the people affected by the devastating 7.7 magnitude earthquake in #Myanmar and #Thailand.
May those who lost loved ones find strength, the injured recover swiftly, and communities rebuild with resilience. The world stands with you.… pic.twitter.com/GDMndlS71J— Tulsi For President🌺 (@TulsiPotus) March 28, 2025
આજે શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ચીન સહિત પાંચ દેશોમાં અનુભવાઈ છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મ્યાનમારમાં ભૂકંપના કારણે 13 લોકોના મોત થયા છે, જ્યારે 200 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઇમારત જમીનદોસ્ત થઈ છે. આ સાઇટ પર 400 લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી 80 લોકો દટાઈ ગયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. મ્યાનમારનો સાગાઈંગ પુલના કેટલાક ભાગો ધરાશાયી થવાથી પુલ તૂટી ગયો છે.
આ પણ વાંચોઃ UCC લાગુ થશે તો આદિવાસીઓનું રાજકીય અને શૈક્ષણિક આરક્ષણ ખતમ થશે: ચૈતર વસાવા
આ પણ વાંચોઃ 2023માં શરુ થયેલી શિક્ષકોની ભરતી ટલ્લે, 24,700 શિક્ષકોની ભરતી અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ | Chaitar Vasava
આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા
આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?