Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

 Myanmar Earthquake 2025: ગત શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ થયો છે. મ્યાનમારની સૈન્ય સરકારે શનિવારે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં લોકોના મોતનો આંકડો વધી 1,600થી પાર થઈ ગયો છે. સૈન્ય સરકારે થોડા સમય પહેલા મૃત્યુઆંક 1,002 કહ્યો હતો. જો કે કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતાં મૃત્યુઆંક વધીને 1,600થી પણ વધી ગયો છે. જ્યારે ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 3,408 થઈ ગઈ છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

મ્યાનમારાના મોટા ભાગના વિસ્તરો ભૂકંપથી હચમચી ગયા છે. ભૂકંપ પછી, મંડલે અને રાજધાની નાયપિતાવમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા હોવા છતાં, આ શહેરોમાં એરપોર્ટ ક્ષતિગ્રસ્ત અને વિમાનના ઉતરાણ માટે અયોગ્ય હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. મ્યાનમારમાં મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં લોકો દટાઈ ગયા છે.

મૃતદેહોને બહાર કાઢવાનું કામ ભૂકંપના ત્રીજા દિવસે પણ ચાલું છે. થાઈલેન્ડમાં પણ વિનાશ થયો છે. ત્યા પણ અનેક ઈમારતોને નુકસાન થયું છે. ભૂકંપની કુલ પાંચ દેશોમાં અસર થઈ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત, ચીન સહિત બાગ્લાદેશને અસર થઈ છે.

મ્યાનમારને ભારતે કરી મદદ
earthquake myanmar news

ભારત દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મ્યાનમારના લોકોને જરુયાત ચીજવસ્તુઓ સોંપવામાં આવી રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ રાહત સામગ્રી પહોંચાડી છે. સાથે સાથે મેડિકલ દવાઓ પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025

Related Posts

Indonesia floods: ઇન્ડોનેશિયામાં પૂરથી તબાહી, 900 લોકોના મોત,સેંકડો મૃતદેહો કીચડમાં ગરકાવ
  • December 7, 2025

Indonesia floods: ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સેંકડો લોકો લાપત્તા છે,વિનાશક પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવા માટે બચાવ…

Continue reading
Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”
  • December 7, 2025

●મસ્જિદના ધ્વંસની વરસીના દિન 6 ડિસેમ્બરે નવી બાબરી મસ્જિદ બનાવવાનો પાયો નંખાતા વિવાદ Babri Masjid: દેશમાં ફરી બાબરી મસ્જિદનો વિવાદ શરૂ થઈ ગયો છે અને રાજકારણ માટે આ મુદ્દો ખૂબજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indigo Crices: અત્યારેજ કેમ?જાણો આખો મામલો

  • December 8, 2025
  • 4 views
Indigo Crices: અત્યારેજ કેમ?જાણો આખો મામલો

Indigo Monopoly: ઈન્ડિગોની મોનોપોલી સામે સરકાર લાચાર! આખો ‘ખેલ’ શુ છે ? તે જાણવા જુઓ, વિડીયો

  • December 8, 2025
  • 9 views
Indigo Monopoly: ઈન્ડિગોની મોનોપોલી સામે સરકાર લાચાર! આખો ‘ખેલ’ શુ છે ? તે જાણવા જુઓ, વિડીયો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

  • December 8, 2025
  • 7 views
Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Bigg Boss 19: ગૌરવ ખન્નાએ જીત્યો બિગ બોસ સીઝન 19નો ખિતાબ,ફરહાના ભટ્ટ રનર-અપ રહી! જાણો અત્યારસુધીના વિજેતાઓની યાદી

  • December 8, 2025
  • 5 views
Bigg Boss 19: ગૌરવ ખન્નાએ જીત્યો બિગ બોસ સીઝન 19નો ખિતાબ,ફરહાના ભટ્ટ રનર-અપ રહી! જાણો અત્યારસુધીના વિજેતાઓની યાદી

Indigo-Flight: ઈન્ડિગો કટોકટી વચ્ચે GOOD NEWS,1650 ફ્લાઈટ પુનઃ શરૂ થઈ, મુસાફરોને રિફંડ મળ્યું!

  • December 8, 2025
  • 17 views
Indigo-Flight: ઈન્ડિગો કટોકટી વચ્ચે GOOD NEWS,1650 ફ્લાઈટ પુનઃ શરૂ થઈ, મુસાફરોને રિફંડ મળ્યું!

IndiGo flight: ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલ્વે 3 દિવસ 89 વિશેષ ટ્રેનો દોડાવશે!

  • December 8, 2025
  • 14 views
IndiGo flight: ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલ્વે 3 દિવસ 89 વિશેષ ટ્રેનો દોડાવશે!