
National Press Day : આજે નેશનલ પ્રેસ દિવસ છે ત્યારે આજે મિડીયાની કાર્ય પદ્ધતિ સામે સવાલો ઉભા થઇ રહયા છે,તટસ્થ પત્રકારોનો હંમેશા એ મત રહ્યો છે કે ખરેખરતો પ્રેસની આઝાદીનું અવલંબન જેતે સમાચાર સંસ્થા કે પત્રકાર પરજ રહેલું છે.નેતાઓ કે સરકારની ખોટી ખુશામત કરવાનું આ પ્લેટફોર્મ નથી.
દેશમાં સરકારો બદલાતી રહે છે અને તેઓને પોતાને અનુકૂળ સમાચારો પ્રકાશિત થાય કે પ્રસિદ્ધ થાય એમાંજ રસ હોય છે, સરકાર ઈચ્છે કે સમાચાર માધ્યમો વાહવાહી કરતા રહે અને પોતાના વશમાં રહે તેમાંરસ હોય એ સ્વાભાવિક છે.પણ ઘણી બધી એવી સમાચાર સંસ્થાઓ છે જે એવું કરતી નથી કારણકે સરકારી કામોની જાહેરાત માટે આખો એક સરકારી ડિપાર્ટમેન્ટ ખોલી આપેલો છે અને તે છે માહિતી વિભાગ અહીં તમામ પ્રકારના સરકારી કે નેતાઓના રજેરજના સમાચારની નોંધ લેવામાં આવેજ છે.
કેન્દ્ર અને રાજ્યની દરેક સરકાર ઇચ્છે છે પોતાને અનુકૂળ સમાચારો આવ્યા કરે અને ટીકા થાયતો નારાજ થઈ જાય છે તાજેતરમાં બંગાળમાં મમતા બેનરજી પર કાર્ટૂન ચિતરનારને પણ કેદ થાય છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કાર્ટૂન કરનારને પણ જેલ થાય એ બતાવે છે કે સરકાર કોઈની પણ હોય અંતે સરકારને પોતાને ગમતા સમાચારો અને પોતાને ગમતા વિશ્લેષણ ગમે છે,આજે માધ્યમ સંસ્થાઓ સામે પણ સ્વતંત્રતા સામે અન્ય ઘણા પડકારો છે.
ઈન્દીરા ગાંધીની સરકારમાં કટોકટી વખતે પણ મીડિયાની કસોટી થઈ હતી તે વખતે પણ પ્રેસનો અવાજ દબાવવાની કોશિશ થઈ હતી પણ જે મક્કમ છે તેઓએ લડાઈ લડી છે.મીડિયાએ સરકાર કોઈની પણ હોય જે ખોટુ થઈ રહ્યું છે તેનું સાચું ચિત્ર રજૂ કરવું જોઇએ. નેશનલ પ્રેસ દિવસે મહત્વનું એ છે કે,સાચા પત્રકારત્વને ટકાવી રાખવાનો ધર્મ આગળ ધપાવવાનો છે જે સત્ય છે તેને કોઈની શેહમાં આવ્યા વગર ઉજાગર કરતા રહેવાનું છે.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનીજે દિવસે સ્થાપના થઈ તે દિવસથી દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની મનાવાય છે. નેશનલ પ્રેસ કાઉન્સિલની સ્થાપના પ્રેસ કમિશનની પ્રથમ બેઠકમાં 1956માં કરવામાં આવી હતી.
આ બેઠકમાં PCI ને પ્રેસ માટે સ્વતંત્ર વોચડોગ તરીકે અને ભારતમાં પત્રકારત્વ અને પ્રેસની સ્વતંત્રતાની નૈતિકતાના રક્ષણ માટે કલ્પના કરવામાં આવી હતી. ઘણી ચર્ચાઓ અને ચર્ચાઓ પછી, 16 નવેમ્બર 1966ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ત્યારથી કાઉન્સિલ ભારતીય પ્રેસ દ્વારા આપવામાં આવતા રિપોર્ટિંગની ગુણવત્તા પર નજર રાખવા માટે એક એજન્સી તરીકે કામ કરી રહી છે.
આજનો દિવસ મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યોની યાદ અપાવે છે સાથે પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા,અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે, લોકશાહીના મજબૂત સ્તંભ તરીકે આ દિવસનો હેતુ છે અને મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









