Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

  • India
  • October 3, 2025
  • 0 Comments

Maharashtra: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ લદાખમાં સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે “દેશમાં અધિકારો અને ન્યાય માટે લડવું હવે રાજદ્રોહ ગણાય છે!”

ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે, વાંગચુક પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા એટલે તેમની પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે જો વાંગચુકની આ માટે ધરપકડ થઈ શકતી હોયતો પાકિસ્તાનમાં નવાઝ શરીફને મળવા માટે મોદીની મુલાકાત વિશે તમારો શું કહેશો ?”

ગતરોજ ગુરુવારે દાદર પશ્ચિમના શિવાજી પાર્કમાં દશેરા મેળાને સંબોધિત કરતી વખતે ઠાકરેએ આ મુજબ જણાવ્યું હતું.

ઠાકરેએ કહ્યું કે વાંગચુકે કોઈ દેશદ્રોહી નથી તેઓનું દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે લદ્દાખમાં ભારતીય સૈન્ય માટે સૌર-ગરમ તંબુ બનાવ્યા અને પાણી માટે બરફ સ્તૂપ ટેકનોલોજી વિકસાવી છે તે ભૂલી શકાય નહીં પણ હવે,જ્યારે તેમણે લદ્દાખ માટે આંદોલન શરૂ કર્યું છે, ત્યારે સરકાર તેમની માગણીઓ સ્વીકારવામાં ખચકાટ થયો અને તેઓ દેશદ્રોહી બની ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે અહીં 24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં ચાર લોકો માર્યા ગયા હતા અને આ વિરોધ પ્રદર્શન બાદ ગત 26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ થઈ હતી. તેઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ લગાવવામાં આવ્યો અને તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે.
આમ,આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી તરફ વાંગચુકના ધર્મપત્ની ગીતાંજલી અંગ્મોએ તેમના વકીલ સર્વમ રીતમ ખરે દ્વારા વાંગચુકની અટકાયતને સુપ્રીમમાં પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.

અરજીમાં NSA હેઠળ તેમની ધરપકડ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અંગ્મોએ આરોપ લગાવ્યો છે કે તેમને હજુ સુધી ધરપકડના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો:

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતા વિવાદ

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
  • June 16, 2026

Ankita Bhandari Case: ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની કાળી પરત હવે વધુ ગહન બની રહી છે. આ કેસમાં એક અજ્ઞાત ‘વીઆઈપી’ ના નામનો રહસ્યમય ઉલ્લેખ વારંવાર થઈ રહ્યો છે, અને…

Continue reading
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?