એક પછી એક 50 ગાડીઓ થઇ ગઈ પંચર; હજારો ગાડીઓનો લાગી ગયો જમાવડો

  • India
  • December 31, 2024
  • 0 Comments

મુંબઈ-નાગપુર હાઈવે પર તે સમયે અફરાતફરી મચી જ્યારે રસ્તા પર પડેલા એક લોખંડના બોર્ડના કારણે 50થી વધુ કારોના ટાયર પંકચર થઈ ગયા, જેના કારણે હાઈવે પર કારોની લાઈનો લાગી ગઈ. હાઈવેના વ્યસ્ત ભાગ પર બનેલી આ ઘટનાના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટના મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ પર 29 ડિસેમ્બર રાત્રે 10 વાગ્યાના આસપાસ વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે બની. જણાવી દઇએ કે આ માર્ગ વ્યૂહાત્મક રીતે મુંબઈ અને નાગપુરને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.

મળી રહેલી જાણકારી અનુસાર, લોખંડની શીટના કારણે એક પછી એક નાની ગાડીઓ અને ટ્રકોના ટાયર પંચર થઇ ગયા હતા. આ વચ્ચે હાઇવે પર કલાકો સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો અને એક સંખ્યાબંધ ગાડીઓનો કાફલો રસ્તા ઉપર ભેગો થઈ ગયો હતો. ભયંકર ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને રાતભર હાઇવે પર જ રહેવું પડ્યું હતું. હાલમાં પ્રશાસન તે વાતની તપાસ કરી રહ્યું છે કે, લોખંડની શીટ ત્યાં ભૂલથી પડી ગઈ હતી કે, કોઈએ જાણીજોઇને ત્યાં ફેંકી હતી.

જામને ખોલવા માટે હાઇવે અધિકારીઓએ મળીને શીટ્સને હટાવવાની કોશિશ કરી. આ સાથે જ યાત્રીઓને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ ઘટના તે સમયે થઈ છે, જ્યારે હાઈ-સ્પીડ કોરિડોરની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભયંકર માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

માહિતી માટે જણાવી દઇએ કે, 701 કિમી લાંબો આ મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે (જેને સમૃદ્ધિ મહામાર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે) ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાંનો એક છે, જેના લીધે મુંબઈ અને નાગપુરના વચ્ચેના પ્રવાસનો સમય ઘણી હદે ઘટી જશે. જણાવવું છે કે, તેને બનાવવા માટે 55,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

તે આ પ્રદેશમાં પ્રવાસ અને વ્યાપાર માટે મોટા ફેરફારો લાવવા માટે કરાયેલ એક મહત્વપૂર્ણ અને વિશાળ પ્રોજેક્ટ છે.

Related Posts

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 0 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી