RAJKOT: હત્યાનો ભેદ ઉકેલાયો, અયોધ્યામાં કામ આપવાની લાલચ આપી હત્યા, પત્નિેએ ગુમની ફરિયાદ નોંધાવતાં પર્દાફાશ

  • Gujarat
  • January 4, 2025
  • 1 Comments

ગોંડલનાં મોટા મહીકા ગામે તાજેતરમાં  ખંઢેર જેવા મકાનમાંથી અર્ધ બળેલી લાશની રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઈ વધુ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. અયોધ્યામાં કેટરીંગનું કામ અપાવવાની લાલચમાં હત્યા કરી છે. 

પોતાને મૃત જાહેર કરવા તરખટ રચ્યું

રાજકોટમાં ઘણાં લોકોને અયોધ્યામાં કેટરીંગ કામ અપાવવાની ગુલબાંગો ફેક્યા બાદ કામ માટે ઉઘરાણાં શરુ થતા કંટાળીને પોતાને મૃત જાહેર કરવા પાડોશી બાવાજી યુવાનને દોરીથી ગળાફાંસો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત હસમુખે કરી હતી.

પત્નિએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત વિગત મુજબ મોટા મહીકામાં અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળ્યા બાદ તાલુકા પીઆઇ જે.પી.રાવ ઉપરાંત એલસીબી તથા એસઓજી ટીમે તપાસનાં ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતદેહ રાજકોટ રહેતા હસમુખ મુળશંકરભાઈ ધાનજા વ્યાસ હોવાનુ બહાર આવ્યુ હતુ. દરમિયાન 30 ડિસેમ્બરે રાજકોટની સદગુરુ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન ગૌસ્વામીએ પોતાનો પતિ સંદીપભાઈ તેનાં પાડોશમાં રહેતા હસમુખ સાથે ગયા પછી ગુમ થયાનુ જાહેર કર્યા બાદ પીએમ દરમિયાન મૃતદેહ પોતાના પતિ સંદીપનો હોવાનુ જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

હત્યામાં સંડોવાયેલા બાળકની પૂછપરછ

પોલીસ તપાસમાં શાપરનો સંડોવાયેલો બાળક બનાવ સમયે હાજર હોવાની માહિતી મળતા પોલીસે શાપરથી બાળકને ઉઠાવી લઇ પુછપરછ કરતા હસમુખે સંદીપની હત્યા કરી પોતાની ઓળખ થાય તે માટે મૃતદેહની બાજુમાં પોતાનાં ચપ્પલ, પાકીટ,આધારકાર્ડ સહિત ડેક્યુમેન્ટ રાખી દઇ પોતે મૃત્યુ પામ્યાની સડયંત્ર ઘડી અને મૃતક તરીકે ઓખાયેલ શખ્સ ખુદ હત્યારો હોવાનું બહાર આવતા અલગ અલગ લોકેશન ટ્રેસ કરી હસમુખ ને ગોંડલ રીબડા વચ્ચેથી ઝડપી લીધો હતો.

લોકોને અયોધ્યામાં કામ આપવાની લાલચ આપતો

હત્યારા હસમુખની પુછપરછમાં તેણે એવુ જણાવ્યું કે અયોધ્યા ખાતે પોતાને કેટરર્સનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેવું કહી લોકોને આ કોન્ટ્રાક્ટમાં ઉંચા પગાર સાથે કામ અપાવવાની લાલચ આપતો હતો. પરંતુ વાસ્તવમાં આવા કોઇ કોન્ટ્રાક્ટ પોતાને  મળ્યો ન હોય નહી, જે લોકોને આરોપીએ રોજગારીની લાલચ આપેલ હોય તે બાબતે કોન્ટ્રક્ટમાં કામે જવા માટે વારંવાર પુછતા હોય અને રાજકોટમાં પણ એક વ્યક્તિેને કેટરીંગનાં કોન્ટ્રાક્ટમાં વચ્ચે હોય બાદમાં આ કોન્ટ્રાક્ટ પણ નહી મળતા પોતાની જ્યાં જ્યા બેઠક હતી. ત્યાં કામ માટે લોકોનાં ઉઘરાણાં થતા પોતાનાં જુઠ્ઠાણામાં ફસાયો હતો.

બેભાન કરી ગળે ટૂંપો દીધા બાદ પેટ્રોલ છાંટી સળગાવ્યો

આથી કંટાળીને પોતે મૃત જાહેર થાય તો કોઇ પોતાને આ બાબતે પુછે નહી તે હેતુથી ફીલ્મી સ્ટોરી જેવો ખોફનાક કારસો ઘડી કાઢયો હતો. જેને અંજામ આપવા હસમુખે કાયદાના સંઘર્ષમાં આવેલ શાપરનાં બાળ કિશોરની મદદથી પોતાના વતન મોટા મહીકા ગામે જુના મકાનમાં સફાઈ કામ કરવાના બહાને સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામીને મોટા મહીકા લઈ જઈ ઘેનની ગોળીઓ પીવડાવી દઈ સંદીપે પહેરેલ જાકીટની દોરીથી ગળા ટુપો આપી બેભાન જેવી હાલત કરી હસમુખ ધાનજા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મળી ભોગબનનાર ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઇ હસમુખે પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ તથા તેના આઇડી.કાર્ડ રાખી પોતે મરી ગયેલ છે તેવી ખોટી સ્ટોરી ઉભી કરવા બનાવને અંજામ આપ્યો હતો.

પત્નિને મળવા આવતાં ઝડપાયો

પોલીસ પક્કડથી દુર રહેવા હસમુખ ગીરસોમનાથ તરફ નાશી છુટ્યો હતો.પણ પોલીસે પગેરુ દબાવતા ત્યાંથી નાશી છુટ્યો હતો. દરમિયાન ભેજાબાજ હસમુખ રાજકોટ તેની પત્નિને મળવા આવવા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી.પણ સાતિર મગજ ધરાવતા હસમુખને જાણ થઇ જતા પત્નિને મળ્યા વગર ગોંડલ તરફ નાશી છુટ્યો હતો. જો કે ગોંડલ ચોકડીથી રીક્ષામા બેસી પસાર થઇ રહ્યો હતો ત્યારે રીબડા પાસેથી તેને ઝડપી લીધો હતો. હસમુખની પહેલી પત્નિ રાજકોટ રહેછે. બીજી પત્નિ આસામની છે. જેની સાથે હસમુખ રહેતો હતો.

પીઆઇ. જે.પી.રાવે જણાવ્યુ કે નિર્હભયા કાંડમાં જેમ સગીર આરોપીનાં સાયકોલોજી ટેસ્ટ થયા હતા, તેમ આ હત્યામાં સંડોવાયેલા સગીરનો સાઇકોલોજી ટેસ્ટ કરાશે.

આ સમાચર પણ વાંચોઃ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

 

Related Posts

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી
  • June 16, 2025

Visavadar, Kadi By-Election 2025: ગુજરાતની વિસાવદર (જૂનાગઢ) અને કડી (મહેસાણા) વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025 (ગુરુવાર)ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 23 જૂન, 2025 (સોમવાર)ના રોજ…

Continue reading

One thought on “RAJKOT: હત્યાનો ભેદ ઉકેલાયો, અયોધ્યામાં કામ આપવાની લાલચ આપી હત્યા, પત્નિેએ ગુમની ફરિયાદ નોંધાવતાં પર્દાફાશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 4 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 5 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 8 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 5 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

  • June 16, 2025
  • 13 views
Banaskantha: લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના, લૂંટારુઓએ ઊંઘમાં જ PI ના માતા-પિતાનું ઢીમ ઢાળી દીધું

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

  • June 16, 2025
  • 19 views
Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!