
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું સંગઠન એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે. આ RSSનો ઈતિહાસમાં પ્રથમ કાર્યક્રમ વિદ્યાપીઠમાં હશે. જેને લઈ અનેક તર્ક વિતર્ક અને વિવાદો સર્જાવાની સંભાવના સેવાઈ રહી છે.
આ તારીખે યોજાશે કાર્યક્રમ?
RSS 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમને ‘સજ્જન શક્તિ સંગમ’ નામ રખાયું છે. RSS 2025ના વર્ષને તેના શતાબ્દી વર્ષ તરીકે મનાવશે. આ કાર્યક્રમમાં IAS, IPS, પ્રોફેસર, ડૉક્ટર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર જેવા 450થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. બાપુની વિદ્યાપીઠમાં સંઘનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું જાણીને ગાંધીવાદીઓમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કારણે ગાંધીજીના મૂલ્યોને ઘોળીને પી જનાર RSS વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજે ત્યારે સ્વાભાવિક છે કે તદેકના મનામાં પશ્નો પેદા થાય.