મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

Saravkundla Mughal Bhuvi: અમરેલીમાંથી અંધશ્રદ્ધા ફેલાવતી ભૂવી ઝડપાઈ છે. સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે 36 વર્ષિય ક્રિશ્ના નામની ભૂવીનો ધતિંગનો પર્દાફાશ થયો છે. ભૂવી ક્રિશ્નાનો સ્વપ્નકાંડ બોગસ સાબિત થયો છે. ભૂવીએ કપટલીલાની કબૂલાત કરી છે. ભૂવી 20 મિનિટમાં 250 સિગારેટ તાણી જતી હતી. ભૂવી મોગલનું મંદિર બનાવી લોકોને છેતરપીંડીનો ભોગ બનાવી રહી હતી. આ ભૂવીનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ભૂવીના પતિને માતાજીના શણગારની દુકાન છે. જે શ્રધ્ધાળુઓ માતાની બીડી, સિગારેટ, ચૂંદડી ચઢાવે  તે પતિની દુકાને પાછી આપી દેતી હતી.

સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે ક્રિશ્ના નામની ભૂવી છેલ્લા 4 વર્ષથી ધતિંગલીલા કરી અંધશ્રધ્ધામાં લોકોને ડૂબાડી રહી હતી. જેનો ભાંડાફોડ થયો છે. સ્વપ્નમાં મોગલમાં આવતા ઝાડ ફાટતા માતાજી આવ્યાની કહાનીઓ બનાવતી હતી. ભોળા લોકોને છેતરવા ઘરમાં ક્રિષ્નાએ મામાદેવ-માતાજીનો મઢ મઢ બનાવી દીધો હતો. મામાદેવ આવતા બિસ્ટોલ, અત્તર, અગરબત્તી, શ્રીફળની માંગણી કરતી હતી. આ ભૂવી અઢળક સિગારેટ પીતી હતી.

મણિધર બાપુ ભૂવીની કરતૂતને વેપાર ગણાવ્યો

ભૂવી અંદરોઅંદર ઝઘડાઓ, શંકા-કુશંકા નાખી પરિવારોને છિન્ન ભિન્નની કરતી હતી. જેથી મોલડીના ગ્રામજનો નારાજ હતા. કચ્છ મોગલ ધામના મણિધર બાપુએ ભૂવી ક્રિષ્નાની કડક શબ્દોમાં આલોચના કરી છે. અંધશ્રધ્ધા ફેલાવતાં આવા તત્વો વેપારીઓ છે. ભૂવી અંધ્ધશ્રધધ્ધા ફેલાવતી હોવાનો પર્દાફાશ કરવા બદલ તેઓ ખુશ થયા છે. તેમણે 21 મી સદીમાં લોકોને જગૃત થવા કહ્યું છે. ભૂવીની હરકતોને મણિધર બાપુએ ધર્મના નામે ધંધો ગણાવી છે.

ભૂવી ક્રિષ્ના નિઃસંતાનને સંતાન, બાળકોને જમણવાર, હોમ-હવનના નામે રૂપિયા ખંખેરતી હતી. આ અંધશ્રધ્ધાનો પર્દાફાશ અમરેલી જિલ્લા પોલીસ વડા, સાવરકુંડલા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે. વિજ્ઞાન જાથાની ટીમે આવા પર્દાફાશ 1266 કર્યા છે.

ભૂવીએ લોકોની માફી માગી

ઘરમાં ગોરખધંધા કરતી ભૂવી ક્રિષ્ના પરમારે લોકોની માફી માંગી લીધી છે. ભૂવી ક્રિષ્નાનો સ્વપ્નકાંડ, મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા કાયમી પાખંડ બંધની જાહેરાત કરી છે. ભૂવીએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને ઘરનું ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગ્ટય થયું હોવાનું તરકટ કર્યું હતુ. હોમ-હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી હતી. ભવીએ કહ્યુ હતુ કે   નાનપણથી શરીરમાં મામાદેવ આવતા  હોવાથી મઢની સ્થાપના કરવામાં આવી  હતી.

શિક્ષિકો તો પણ ભૂવીના શરણે આવતા

4 વર્ષથી લોકોના દુઃખ-દર્દ, જોવાનું, સંતાન આપવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું હતુ. સુરત અને આસપાસના શિક્ષિત લોકો માનતા ઉતારવા, જોવડાવવા દર્શને આવવા લાગ્યા હતા. જાથાએ ડમી માણસોને ત્રણવાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકિકત બહાર આવી છે.

ભૂવી ચાલાક હોવાથી પુરાવામાં મુશ્કેલી પડી હતી

ક્રિશ્ના ભૂવીનો પર્દાફાશ કરવા જાથાની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઝાડ ફાટતા મોગલમાનું પ્રાગ્ટય, મામાદેવની હાજરી આવે તો 20 મિનિટમાં 250 સિગારેટ પીવાનો ઢોગી ચમત્કાર બહાર આવ્યો છે. જો કે ભૂવી ઝાડ કેવી રીતે ફાટયું ને માતાજી પ્રગ્ટયા તે બતાવી શકી ન હતી.

ભૂવીનો પતિ પણ છે

ભૂવી ક્રિશ્ના પરમારનો વેપારી પતિદેવ નયન છે. નયન નારિયેણ, ચૂંદડી, સિગારેટ વેચવાનો ધંધો કરે છે. જેથી જે વસ્તુઓ શ્રધ્ધાળુઓ માતાજીને ચઢાવે તે ભૂવી તેના પતિને પાછું આપી આવતી હતી. અને આ રીતે બંને ધંધો કરતા હતા.  ભૂવીના મઢમાંથી સંતાન પ્રાપ્તિના લગાવેલા ફોટાઓ કાઢી નાખવામાં આવ્યા છે. ભૂવીના પર્દાફાશ સમયે ગામમાંથી એકપણ વ્યકિત તેની તરફેણમાં આવી ન હતી. કચ્છના મોગલધામના બાપુએ મોલડીની ભુઈની સામે નારાજગી વ્યક્ત કરી અંધશ્રદ્ધા ન ફેલાવવા કડક આલોચના કરી છે.

 

આ પણ વાંચોઃ

નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

બાબા રામદેવનું “શરબત-જીહાદ”, મંદિર – મસ્જિદના નામે કર્યો પતંજલિના જ્યુસનો પ્રચાર

અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand

Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|

  

 

 

 

Related Posts

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!