
સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામની તબિયત વધુ બગડતાં વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે, જેઓ તેમના પોતાના ગુરુકુળની વિદ્યાર્થી સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદ ભોગવી રહ્યા છે.
બળાત્કારના દોષિત આશારામને રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગતની કોઠીમાં બનેલા હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આશારામ હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ એટેક પણ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આશા્રામને જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી છે. આમાં એક શરત એવી પણ છે કે તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. આશારામ 2013ના રેપ કેસમાં ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આસારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!