
Surendranagar: ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghvji Patel)ની કારને ગત રાત્રે અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. વિગતો મુજબ રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતા ત્યારે ચોટીલા પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંત્રી રાઘવજી પટેલનો બચાવ થયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની ઓનેષ્ટ હોટેલ નજીક નજીક મંત્રીની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જોકે, રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે ચોટીલા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ ચોટીલાનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Delhi: સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો, કહ્યું કેજરીવાલ સુધરી જજો!, કરાઈ ધરપકડ