VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી આજે બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. જેથી મગરોની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. મગરોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. જોકે મગરોના મોત અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આજે સવારે વડોદરા શહેરના કીર્તિ મંદિર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર અંદાજે 8 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ રેસ્કયૂ ટીમને આ જ વિસ્તારમાં આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મૃત મગર પડેલો હોવાનો કોલ મળ્યો હતો. જેથી મગર રેસ્કયૂ કરતા જીવદયા પ્રેમી સંગઠન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારની ટીમે જઈને જોતા લગભગ 10 ફૂટનો મહાકાય મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.

તેમણે કહ્યું કે, બે મહિનામાં 6 મગરોના મોત થયા છે. તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી, તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો જ્યા તાપમાં બેસી રહેતાં હતા તે જગ્યાઓ ધોવાઈ ગઈ છે. જેથી આખી રાત પાણીમાં રહેતા મગરોને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે સવારનો તડકો ખાવાની જગ્યા મળી રહી નથી અને શરીર વધારે પડતું ઠંડું પડવાથી તેમજ તડકાના અભાવે મગરોના મોત થયા છે કે કેમ તે એક તપાસનો વિષય છે. તેમણે કહ્યું હતું કે, મગરોના પોસ્ટમોર્ટમ બાદ જંગલ વિભાગે અને તંત્રએ તપાસ કરવી જોઈએ.

વિશ્વામિત્રી નદીમાં દર ચોમાસે પૂર આવી જતું હોવાથી તેને ઊંડી કરવામાં આવી રહી છે. જેથી મગરોને આરામ અને તડકો લેવાની જગ્યાઓમાં ઘટાડો થવાનો છે. જેથી મગરો માટે સંકટ સમાન સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનાર ક્યાં છુપાયો હતો? સૈફની કેવી છે હાલત?

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 10 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 26 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 18 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh