બાંગ્લાદેશી યુવક ભારતીય ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ઝડપાયો!

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

સુરત પોલીસે નકલી ભારતીય નાગરિકત્વ ધરાવતાં શખ્સની ધરપકડ કરી છે. SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ)એ નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપતાં બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા (બાંગ્લાદેશી કરન્સી) આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. હાલો લાલ ગેટ પોલીસે ફરિયાદ નોંધી અન્ય બાંગ્લાદેશીઓ અહીં રહે છે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જામનગર: ધ્રોલના લતીપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત; 3 લોકોના મોત, બે ગંભીર

બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો

સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે અને ખોટા ભારતીય પુરાવા સાથે રહે છે. બાતમીના આધારે SOGની ટીમે લાલગેટ ખાતે પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં રેડ પાડી હતી. ત્યાં રહેતા યુસુફ સરદાર (ઉંમર 27, મૂળ બાંગ્લાદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે.

હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો

આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હોવાની કબૂલાત કરી છે. આરોપીએ પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવી સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હાલ SOGની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે, તેમને શોધી રહી રહી છે.

આ પણ વાંચોઃ વિશ્વના બીજા સૌથી મોટા મ્યુઝિયમનું ગુજરાતમાં લોકાર્પણ

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો

  • July 4, 2026
  • 4 views
Narendra Modi Gujarat Visits: મોદીની ગુજરાત-યાત્રા: ૧૨ વર્ષમાં ૧૧૮ મુલાકાતો, ૨૦૫ સભાઓ અને જનતાના ખર્ચે થતા આયોજનો

Modi Silence NEET Ayodhya: રામ મંદિર અને નીટ કૌભાંડ, પીએમ મોદીનું મૌન શું જનતાના ભરોસાને તોડી રહ્યું છે?

  • July 4, 2026
  • 5 views
Modi Silence NEET Ayodhya: રામ મંદિર અને નીટ કૌભાંડ, પીએમ મોદીનું મૌન શું જનતાના ભરોસાને તોડી રહ્યું છે?

Congress Nationalism BJP Politics: કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દે પોતાની ઐતિહાસિક રાજકીય ઓળખ કેમ ગુમાવી અને તેનો ફાયદો ભાજપને કેવી રીતે મળ્યો?

  • July 4, 2026
  • 10 views
Congress Nationalism BJP Politics: કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દે પોતાની ઐતિહાસિક રાજકીય ઓળખ કેમ ગુમાવી અને તેનો ફાયદો ભાજપને કેવી રીતે મળ્યો?

Manish Tewari Congress Punjab: કોંગ્રેસનું ‘ચમચા યુગ’ કે યોગ્ય નેતાઓની અવગણના? મનીષ તિવારીનું સમિતિમાંથી નામ ગાયબ થતા વિવાદ

  • July 4, 2026
  • 13 views
Manish Tewari Congress Punjab: કોંગ્રેસનું ‘ચમચા યુગ’ કે યોગ્ય નેતાઓની અવગણના? મનીષ તિવારીનું સમિતિમાંથી નામ ગાયબ થતા વિવાદ

Tamil Nadu CM Joseph Vijay: તમિલનાડુના નવા ‘સેવકન’, વિજયના શાસનના ૬૦ દિવસ અને બદલાતા રાજકીય સમીકરણો

  • July 4, 2026
  • 10 views
Tamil Nadu CM Joseph Vijay: તમિલનાડુના નવા ‘સેવકન’, વિજયના શાસનના ૬૦ દિવસ અને બદલાતા રાજકીય સમીકરણો

Punjab Anti-Sacrilege Law Controversy: પંજાબમાં કાયદો બન્યો પણ ધારાસભ્યો અજાણ, વાંચ્યા વગર જ પાસ કર્યો બેઅદબી વિરોધી કાયદો

  • July 4, 2026
  • 9 views
Punjab Anti-Sacrilege Law Controversy: પંજાબમાં કાયદો બન્યો પણ ધારાસભ્યો અજાણ, વાંચ્યા વગર જ પાસ કર્યો બેઅદબી વિરોધી કાયદો