સેનાનું અપમાન કરનાર ભાજપા નેતા વિજય શાહને શું સજા થવી જોઈએ? | Vijay Shah

મધ્યપ્રદેશમાં ભાજપા આદિજાતિ મંત્રી વિજય શાહે(Vijay Shah) કર્નલ સોફિયા કુરેશી(Sofiya Qureshi) અંગેના પોતાના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે હું 10 વાર માફી માંગવા તૈયાર છું. મારી પોતાની બહેન કરતાં સોફિયા બહેન મારા માટે વધુ મહત્વપૂર્ણ છે. તે દેશની રક્ષા માટે તૈનાત છે. હું તેમને સલામ કરું છું. વિજય શાહે(Vijay Shah) કહ્યું કે જો કોઈ ખોટું અને દુઃખી મનમાંથી કંઈક નીકળ્યું હોય, તો હું તેમની 10 વાર માફી માંગવા તૈયાર છું. જોકે તેમની આ માફી માફ કરવા જેવી નથી. જો કોઈ બીજા વ્યક્તિએ ટીપ્પણી કરી હોત તો જેલના સળિયા ગણતાં કરી દીધા હોત. તો ભાજપા પાર્ટીએ આ નેતા સામે પગલા કેમ લીધા નથી. તે પણ સવાલો ઉભા થયા છે.

‘મારો પરિવાર પણ સેનામાં છે’

તેમણે કહ્યું કે પહેલગામ હુમલાના દિવસથી જ હું પરેશાન છું કારણ કે મારો પરિવાર પણ લશ્કરી પૃષ્ઠભૂમિનો છે. અમારા પરિવારના ઘણા લોકો શહીદ થયા છે અને અમે શહીદનું દુઃખ અનુભવ્યું છે. આ ઘટના બની તે દિવસથી હું ખૂબ જ દુઃખી છું. જો કોઈ વ્યક્તિને તેની માતા, પરિવાર, પુત્ર અને પત્નીની સામે તેમનો ધર્મ અને જાતિ પૂછ્યા પછી અને તેમના કપડાં ઉતાર્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવે છે, તો આ ઘટના ચિંતાજનક છે. તે દિવસથી, હું ફક્ત દુઃખી જ નથી પણ પરેશાન પણ છું, અને જો મેં વ્યથિત અને દુઃખી મનમાં કંઈ કહ્યું હોય, તો હું તેના માટે માફી માંગુ છું.

આપણી દેશભક્તિ માટે આપણને કોંગ્રેસ પાસેથી પ્રમાણપત્રની જરૂર નથી.

તેમણે કહ્યું કે જો કોઈ દુઃખી અને વ્યગ્ર મનમાંથી કંઈ નીકળ્યું હોય અને તેનાથી કોઈને દુઃખ થયું હોય, તો હું માફી માંગુ છું. દેશભક્તિ માટે મને કોંગ્રેસ પાસેથી પ્રમાણપત્રની જરૂર નથી. કોંગ્રેસ ગમે તે કહે, મારે આ વિશે કંઈ કહેવાનું નથી. મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો આજે તેમના બંગલા પર પહોંચ્યા અને નેમ પ્લેટ પર કાળો રંગ લગાવી દીધો. કોંગ્રેસના નેતા મનોજ શુક્લાએ મંત્રી વિજય શાહના બંગલા બહાર સૂત્રોચ્ચાર કરીને તેમના રાજીનામાની માંગણી કરી હતી.

વિજય શાહે કર્નલ પર શું ટીપ્પણી કરી હતી?

મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ જે લોકોએ આપણી દીકરીઓના સિંદૂરનો નાશ કર્યો હતો, મોદીજીએ તેમની બહેનને મોકલીને તેમને બરબાદ કરી દીધા. આ નિવેદન શાહે રવિવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં આપ્યું હતું. તેનો વીડિયો મંગળવારે વાયરલ થયો હતો.

નિવેદન બહાર આવ્યા પછી, પાર્ટીએ શાહને ભોપાલ બોલાવ્યા. સંગઠનના મહાસચિવે ઠપકો આપ્યો, જેના પછી મંત્રી શાહનો સૂર બદલાઈ ગયો.

સોફિયા કુરેશી વિશે

સોફિયા કુરેશી એક ભારતીય સેના અધિકારી છે, જેમણે કર્નલના પદ સુધી પહોંચીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે અને તેમની બહાદુરી તેમજ સમર્પણ માટે જાણીતા છે. સોફિયા કુરેશીએ સેનામાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને દેશની સેવામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે.

સોફિયા કુરેશીનો જન્મ 1974માં ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમના પરિવારની સૈન્ય સાથે ઊંડું જોડાણ છે; તેમના દાદાએ પણ સેનામાં કામ કર્યું છે. અને તેમના પિતા તાજ મોહમ્મદ કુરેશી પણ સેનામાં રહ્યા હતા. તેમના પરિવારમાં સૈન્યની પરંપરા ત્રીજી પેઢી સુધી ચાલુ છે.

શિક્ષણ

તેમણે વડોદરાની કેન્દ્રીય વિદ્યાલય, EME ખાતે શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માંથી 1995-1997 દરમિયાન બાયોકેમિસ્ટ્રીમાં બી.એસ.સી. અને એમ.એસ.સી.ની ડિગ્રી મેળવી. તેમણે પીએચ.ડી. શરૂ કરી હતી, પરંતુ સેનામાં મહિલા અધિકારીઓની ભરતીની તક જોઈને તેને અધવચ્ચે છોડી દીધી.

આ પણ વાંચોઃ

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 5 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 10 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 16 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી