Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં આવતી કાલે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં હાલ રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. આક્ષેપ- પ્રતિઆક્ષેપની રાજનિતી બાદ હવે એક બીજાની પોલ પણ ખોલવામાં આવી રહી છે. ગઈ કાલે વિસાવદરના આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ બે સ્ટીંગ ઓપરેશન કર્યા હતા જેમાં એકમાં આપના કાર્યકરોને પૈસાથી ખરીદવા અને દારુના જથ્થાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપ કોંગ્રેસ તેને આપની ગંદી રાજનિતીનો ભાગ ગણાવી રહ્યું છે તેવામા કડી અને વિસાવદરમાં કોનું પલડું ભારે છે તેને લઈને ધ ગુજરાત રિપોર્ટના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી.

કડીમાં કમઠાણ 

કડીની વાત કરવામાં આવે તો કડીમાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ વિરુદ્ધ ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલના કથિત 25,000 કરોડના કૌભાંડની અરજી સાથે પોસ્ટ મુકી હતી. ત્યારે બળદેવજી ઠાકોરને નીતિન પટેલે પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, મારી પાસે નામ સાથે પુરાવાઓ છે, બળદેવજી જો મને ચેલેન્જ કરશે તો પુરાવા રજૂ કરીશ. આમ કડીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનિતી ચાલી રહી છે.

 વિસાવદરમાં વિવાદ 

વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. વિસાવદરમાં ચૂંટણી જીતવા માટે સામ દામ દંડ ભેદની નીતિ આપનાવવામાં આવી રહી છે. જેમાં મતદારો તેમજ વિપક્ષના કાર્યકરોને લલચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે આપ દ્વારા તેનો પર્દાફાશ કરવામા આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ગઈ કાલે આપ નેતા ગોપાલ ઈટાલિયા અને પ્રવિણ રામ દ્વારા જ બે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા તે મામલે પ્રવિણ રામને પોલીસ ઉઠાવી ગઈ હતી. આમ વિસાવદરમાં આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ભાજપ અને કોંગ્રેસ પર હાવી થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે, અંતે કોણ બાજી મારે છે તે તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે…

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

 

Related Posts

Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!
  • June 18, 2025

મહેશ ઓડ Narendra Modi Promises Forgotten: નરેન્દ્ર મોદી જાત જાતના મુદ્દાઓ અને વચનો આપી ચૂંટણી જીતવામાં માહેર છે. તેઓએ ગુજરાતની પ્રજાને ઘણા વચનો આપી ભૂલી ગયા છે.  વચનો ભૂલ જાય…

Continue reading
Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી
  • June 18, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2025 Ahmedabad Building Dangerous For Aircraft: ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ(Sardar Patel Airport)  મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

  • June 18, 2025
  • 6 views
PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

  • June 18, 2025
  • 8 views
Surat માં એરપોર્ટ  પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

  • June 18, 2025
  • 12 views
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

  • June 18, 2025
  • 9 views
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

  • June 18, 2025
  • 9 views
Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?

  • June 18, 2025
  • 28 views
સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?