વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત

વડોદરાને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. આ યોજના હેઠળ વડાદરો નજીક આવેલા દેણા ગામ અને સૂર્ય નદીના કિનારે તળાવનું મેયર પિન્કી સોનીએ ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ તળાવ પાંચ હેક્ટર જમીનમાં બનાવવામાં આવશે. આ તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય તેનો પણ પ્લાન બનાવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

પાણીપુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ તળાવ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, પાછલા વર્ષે વિશ્વામિત્ર નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક જીસીબી કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધુ સૂર્યા નદીમાંથી આ બફર તળાવમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેસીબી કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યાં છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનારા 100થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પડેલા ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર ફરીથી વડોદરામાં ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 10 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી